Amreli: ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત

પ્લેન દુર્ઘટનાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પ્લેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે.  અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં   ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. અમરેલી જિલ્લાના ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનીંગનું મીની પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાંની સાથે જ પ્લેન ક્રેશ થતાં જ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્લેન ક્રેશની ઘટના અંગે વિવિધ પાસઓને ધ્યાને લઈને  તપાસ શરૂ કરવામાં આવી છે. આઅ સાથે જ અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટનાને લઈને…

PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને સાઉદી અરેબિયાની તેમની મુલાકાત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જેદ્દાહ આવી રહ્યા છે. સદીઓથી, જેદ્દાહ ઉમરાહ અને હજ માટે આવતા યાત્રાળુઓ માટે એક બંદર રહ્યું છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ, પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ, અહીં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરવાના છે. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં MoU પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવશે. તાજેતરમાં જ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ PMની આ મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો માટે…

Accident: વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 2 ના મોત

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. ગઇકાલે મોડી રાત્રે વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે પવન ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ બસ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસની કેબિનમાં બેસેલ 2 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પણ વાંચો: વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત થયો હતો. આગળ ટ્રક હતો તેની પાછળ બસ અથડાઈ હતી. બસની કેબીનમાં બેઠેલા બે લોકોના…

હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ શરૂ કરશે. બીજી તરફ ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરશે. ગોંડલ પોલીસે હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે. જાણો શું છે મામલો ગત વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. આ સાથે જ ક્ષત્રિય આંદોલનથી સતત ચર્ચામાં રહેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા…

પશ્ચિમ બંગાળમાં હિંસા મામલે મિથુન ચક્રવર્તીનું મોટું નિવેદન, કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું કેન્દ્રીય ગૃહમંત્રીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ કરું છું. બંગાળમાં આગામી ચૂંટણી સેનાની હાજરીમાં થવી જોઈએ. અમે બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છીએ છીએ. મિથુન ચક્રવર્તીએ વધુમાં કહ્યું કે, અમે રાજ્યમાં રમખાણો ઇચ્છતા નથી. બંગાળમાં દુઃખદ પરિસ્થિતિ છે. રમખાણોગ્રસ્ત વિસ્તારોમાં હિન્દુઓને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી છે. બંગાળમાં તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે. બંગાળ આપણા હાથમાંથી સરકી રહ્યું છે. વક્ફ સુધારા કાયદાના વિરોધમાં 11 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા થઈ હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ અને માલદા જિલ્લાઓ તેમજ દક્ષિણ 24 પરગણાના ભાંગોરમાં હિંસક અથડામણો બાદ તણાવ વધી ગયો હતો.…

PM મોદીએ એલોન મસ્ક સાથે કરી ફોન પર વાત, આ મુદ્દે કરી ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તેમણે એલોન મસ્ક સાથે વાત કરી છે. આ સમયગાળા દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓનો પણ આમાં સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે ટેકનોલોજી અને ઇનોવેશન સેકટરમાં ઊંડી ભાગીદારી પર પણ ચર્ચા કરી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે ભાગીદારી માટે પ્રતિબદ્ધ રહેશે. મસ્ક આ વર્ષે 13 ફેબ્રુઆરીએ બ્લેર હાઉસમાં મોદીને મળ્યા હતા. આ સમય દરમિયાન, મસ્ક તેના ત્રણ બાળકો – એક્સ, સ્ટ્રાઇડર અને એઝ્યુર સાથે પહોંચ્યા. આ દરમિયાન, નવીનતા, અવકાશ સંશોધન…

રાજ્ય સરકારના કર્મચારીઓ અંગે કેબીનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ સાથે જ આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના…

રાજકોટ: ઈન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત, સિટી બસે કાળ બની 3ના લીધા ભોગ; લોકોમાં ભારે રોષ

રાજકોટમાં સીટી બસ બેફામ બની છે. અનેક વખત બેફામ ડ્રાઈવિંગના કારણે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આજે રાજકોટમાં કાળ બની સીટી બસે ૩ લોકોના ભોગ લીધા છે. શહેરના વ્યસ્ત ઈન્દિરા સર્કલ વિસ્તારમાં  એક સિટી બસે ભયાનક અકસ્માત સર્જતા ત્રણ નાગરિકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં  તોડફોડ કરી હતી. તો બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એક તરફ લોકોનો સીટી બસ તરફ રોષ હતો. ત્યારે બીજી તરફ  પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોના ભારે રોષ બાદ સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી  છે. મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની…

Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 121 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર બગલાન શહેરથી 164 કિલોમીટર પૂર્વમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે લગભગ 4:44 વાગ્યે (ભારતીય સમય) આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાન કે ભારતમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. જોકે, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લોકોએ હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા અનુભવ્યા. EQ of M: 5.9, On: 16/04/2025 04:43:58 IST, Lat: 35.83 N, Long: 70.60 E, Depth: 75 Km, Location:…

Surat: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ હેલ્મેટનો કાયદો રદ્દ કરવા CMને લખ્યો પત્ર, ઉઠવ્યા આ સવાલો

રાજ્યમાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. આ દરમિયાન બીજી તરફ હેલમેટનો કાયદો લોકો માટે માથાના દુખાવા સમાન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ હવે સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લોકોના હેલમેટના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સિટી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવા અપીલ કરી છે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજા ને સીટી વિસ્તાર માં આરોગ્યને માટે જોખમ રૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજ ના ડોકટરોનો અભિપ્રાય લો…