આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે. કોઈનું સંભાળતા નથી. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વિચારધારાના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. છોટુ વસાવા થયા હતા નારાજ છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ થયા હતા. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે…

અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ લાગુ, H-1B વિઝા હોય કે ગ્રીન કાર્ડ આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ દરેક ઇમિગ્રન્ટ, ભલે તે કાયદેસર વિઝા (જેમ કે H-1B અથવા વિદ્યાર્થી વિઝા) પર હોય, તેણે હવે પોતાના કાનૂની દસ્તાવેજો 24 કલાક પોતાની પાસે રાખવા પડશે. આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ નિયમ ટ્રમ્પના આદેશ ‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન’ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેનો હેતુ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. યુએસ કોર્ટે સરકારને આ વિવાદાસ્પદ નિયમ લાગુ કરવાની મંજૂરી આપી છે. આ નિયમ હેઠળ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને સરકારમાં નોંધણી કરાવવાની રહેશે અને દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ઝડપી અને કઠોર નિર્ણયોમાં આ બીજું…

Panchang : 12 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) +05:54 AM નક્ષત્ર હસ્ત 06:08 PM કરણ : વિષ્ટિ ભદ્ર 04:38 PM ભાવ 04:38 PM પક્ષ શુક્લ યોગ વ્યાઘાત 08:38 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:59 AM ચંદ્રોદય 06:18 PM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 06:44 PM ચંદ્રાસ્ત +05:52 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5126 દિન અવધિ 12:45 PM વિક્રમ સંવત 2082 અમાન્ત મહિનો ચૈત્ર પૌર્ણિમાન્ત મહિનો ચૈત્ર શુભ/ અશુભ સમય શુભ સમય અભિજિત 11:56:45 – 12:47:46 અશુભ સમય દુષ્ટ મુહૂર્ત 05:59 AM – 06:50 AM કંટક/ મૃત્યુ 11:56 AM – 12:47 PM યમઘંટ 03:20 PM – 04:11 PM રાહુ કાળ 09:10 AM – 10:46 AM કુલિકા 06:50 AM – 07:41 AM…

Panchang : 11 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી ચતુર્દશી (ચૌદસ) +03:24 AM નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની 03:10 PM કરણ : ગરજ 02:12 PM વાણિજ 02:12 PM પક્ષ શુક્લ યોગ ધ્રુવ 07:44 PM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:00 AM ચંદ્રોદય 05:26 PM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 06:44 PM ચંદ્રાસ્ત +05:25 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5126 દિન અવધિ 12:43 PM વિક્રમ સંવત 2082 અમાન્ત મહિનો ચૈત્ર પૌર્ણિમાન્ત મહિનો ચૈત્ર શુભ/ અશુભ સમય શુભ સમય અભિજિત 11:57:04 – 12:48:00 અશુભ સમય દુષ્ટ મુહૂર્ત 08:33 AM – 09:24 AM કંટક/ મૃત્યુ 01:38 PM – 02:29 PM યમઘંટ 05:02 PM – 05:53 PM રાહુ કાળ 10:47 AM – 12:22 PM કુલિકા 08:33 AM – 09:24 AM…

ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ મેગા ડીલ, 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મળી મંજૂરી

કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદાનું કુલ મૂલ્ય 63,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ સોદો ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, અને આ સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર હેઠળ, ભારતીય નૌકાદળને કુલ 26 રાફેલ એમ વિમાન મળશે. આમાંથી 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર એરક્રાફ્ટ હશે, જે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. વધુમાં, આ સોદામાં વિમાન જાળવણી, લોજિસ્ટિક સપોર્ટ અને રાફેલ એમ ઉડાન અને હેન્ડલિંગ માટે ભારતીય નૌકાદળના કર્મચારીઓને તાલીમ આપવાનો પણ સમાવેશ થાય છે. 2029માં મળશે ડિલિવરી રાફેલ એમ જેટની…

PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ

દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે. 2024 સુધીમાં ખાતાની…

Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે.  આગની ઘટનાને લઈને  ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. 5 કાર બળીને ખાખ બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5…

PM મોદીએ તમિલનાડુને આપી મોટી ભેટ, દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ નવમી નિમિત્તે તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ બહુપ્રતિક્ષિત નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. આ પુલ મુખ્ય ભૂમિને રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે. નવા પંબન રેલ બ્રિજના ઉદ્ઘાટનની સાથે, વડાપ્રધાન મોદીએ રામેશ્વરમ-તાંબરમ (ચેન્નાઈ) નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી છે. 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા 2.08 કિમી લાંબા આ પુલમાં 99 સ્પાન છે. તેમાં અત્યાધુનિક 72.5 મીટર વર્ટિકલ લિફ્ટ સેક્શન છે. આ લિફ્ટ મિકેનિઝમ તેને 17 મીટર સુધી ઉંચુ કરવાની મંજૂરી આપે છે, જેનાથી જહાજો પસાર થઈ શકે છે. ઉપરાંત, ટ્રેનની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવે છે. લગભગ 2 કિમી લાંબા આ દરિયાઈ પુલને સ્ટેનલેસ સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ, એન્ટી-કાટ…

અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો

આજે રામ નવમી પર અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. રામનગરી શ્રી રામની જન્મજયંતીના આનંદમાં ડૂબી ગઈ છે. સવારે રામ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે જન્મજયંતિ કાર્યક્રમ શરૂ થયો. સૌ પ્રથમ, રામ લલ્લાનો અભિષેક થયો. આ પછી, ભગવાન રામને એક કલાક સુધી શણગારવામાં આવ્યા. બરાબર 12 વાગ્યે, ઘંટ અને ઢોલના નાદ વચ્ચે રામલલા પ્રગટ થયા. સોનાના દોરાથી ગૂંથેલું પીળું કાપડ – પ્રાણ પ્રતિષ્ઠા ઘરેણાં પહેરવામાં આવ્યા હતા. આ અલૌકિક ક્ષણમાં, ભગવાનના પ્રગટ થવાની આરતી કરવામાં આવી. ભગવાનને 56 પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવ્યા. રામ મંદિરમાં મહાઆરતીની સાથે, રામલલાને સૂર્ય કિરણોથી તિલક કરવામાં આવ્યું અયોધ્યામાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રામલલાના સૂર્ય તિલક બરાબર 12 વાગ્યે થયા. ભગવાન સૂર્યના કિરણો ચાર…

તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી બિહાર ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલાની રણનીતિ તરીકે આયોજન કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે ગૃહમંત્રી AIADMK ના વરિષ્ઠ નેતાઓને મળી શકે છે. માર્ચમાં, AIADMK નેતા એડાપ્પડી કે પલાનીસ્વામી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે બે જૂના સાથી પક્ષો ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન બનાવી શકે છે અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સામે મજબૂત મોરચો બનાવી શકે છે. “તેઓ RSSના વિચારધારક એસ ગુરુમૂર્તિ અને કેટલાક પક્ષના કાર્યકરોને પણ મળ્યા હતા, પરંતુ AIADMK નેતાઓ સાથે કોઈ વાતચીત…