મેલાનોમા કેન્સર સામેની લડાઈમાં નવી આશા: પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનથી મેલાનોમા પાછું આવવાનું જોખમ ઘટ્યું

મેલાનોમા કેન્સરની સારવારના ક્ષેત્રમાં વ્યક્તિગત સારવાર તરફ વધી રહેલા સંશોધન વચ્ચે નવી આશા જાગી છે. Moderna અને Merck દ્વારા વિકસાવવામાં આવી રહેલી પર્સનલાઇઝ્ડ mRNA આધારિત કેન્સર થેરાપી intismeran autogene (mRNA-4157/V940)એ મેલાનોમા એટલે કે ગંભીર પ્રકારના સ્કીન કેન્સર સામે પ્રોત્સાહક પરિણામો દર્શાવ્યાં છે. તાજેતરના પાંચ વર્ષના ફોલોઅપ ડેટા મુજબ, આ થેરાપીને Merckની ઇમ્યુનોથેરાપી દવા KEYTRUDA સાથે આપવાથી કેન્સર ફરી આવવાનું અથવા દર્દીના મૃત્યુનું જોખમ માત્ર KEYTRUDAની સરખામણીએ 49% ઓછું જોવા મળ્યું હતું. સાથે જ દૂરના અંગોમાં કેન્સર ફેલાવા અથવા મૃત્યુનું જોખમ 59% ઓછું જોવા મળ્યું. આ પરિણામો આશાસ્પદ છે, પરંતુ આ વેક્સિનને હજી સામાન્ય દર્દીઓ માટે મંજૂર થયેલી કેન્સરની રસી તરીકે જોવી યોગ્ય નથી. આ એક તપાસ હેઠળની વ્યક્તિગત થેરાપી છે અને મેલાનોમા માટે તેનો Phase 3…

હિના ખાને ડૉક્ટરને લાંચ આપી! અભિનેત્રી રોઝલીન ખાને કેન્સરની સારવાર છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો

છેલ્લા ૩ વર્ષથી સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી ટીવી અભિનેત્રી હિના ખાન પર અભિનેત્રી રોઝલીન ખાને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી પર આરોપ લગાવ્યો કે તેણીએ કેન્સરની સારવારની વિગતો ગુપ્ત રાખવા માટે ડૉક્ટરને પૈસા ચૂકવ્યા હતા. -> શું હિના ખાને ડોક્ટરને પૈસા આપ્યા હતા? :- આપેલા ઇન્ટરવ્યુમાં, રોઝલીન ખાને કહ્યું કે ડૉ. નાડકર્ણીએ આ મામલો જાહેરમાં ઉઠાવવાનું કારણ એ હોઈ શકે છે કે તેમણે લાંચ લીધી છે. રોઝલીન ખાને તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. હવે તેમણે આરોપ લગાવ્યો છે કે હિના ખાને તેમના કેન્સરની સારવારની વિગતો છુપાવવા માટે તેમના ડૉક્ટર મંદાર નંદકર્ણીને લાંચ આપી છે. રોઝલીને કહ્યું, ‘એ જોઈને આશ્ચર્ય થાય છે કે મારી સારવાર કરનારા ડૉ. મંદાર નંદકર્ણી…