મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અસારવા–જયપુર એક્સપ્રેસને ખાતીપુરા સ્ટેશન સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે. વિસ્તૃત સેવાની વિગતો નીચે મુજબ છે :
• ટ્રેન સંખ્યા 12982, અસારવા– ખાતીપુરા એક્સપ્રેસ તા. 19 જૂન, 2026થી અસારવાથી 19:55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:30 વાગ્યે જયપુર સ્ટેશન પહોંચશે તથા 07:40 વાગ્યે પ્રસ્થાન કરશે આ ટ્રેન ગાંધીનગર-જયપુર સ્ટેશન પર 07:51 વાગ્યે આગમન તથા 07:54 વાગ્યે પ્રસ્થાન કરીને 08:25 વાગ્યે ખાતીપુરા પહોંચશે.
• તે જ રીતે, ટ્રેન સંખ્યા 12981, ખાતીપુરા–અસારવા એક્સપ્રેસ તા. 20 જૂન, 2026થી ખાતીપુરાથી 20:05 વાગ્યે પ્રસ્થાન કરીને, ગાંધીનગર-જયપુર સ્ટેશન પર 20:18 વાગ્યે આગમન અને 20:21 વાગ્યે પ્રસ્થાન કરશે. તથા જયપુર સ્ટેશન પર 20:35 વાગ્યે આગમન અને 20:45 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 08:40 વાગ્યે અસારવા પહોંચશે.
નોંધ : અસારવા–જયપુર વચ્ચે આ ટ્રેનના સંચાલનમાં કોઈ પરિવર્તન નહી થાય.
ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





