અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ…?

બનાસકાંઠા : અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા રસ્તાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (IAS) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

શું રહેશે પ્રતિબંધો?

-> આ જાહેરનામા મુજબ બે મુખ્ય પ્રતિબંધો અમલમાં રહેશે:

ભારે વાહનો માટે: ડી.કે. ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધીના માર્ગ પર ૧૨ મીટરથી વધુ લંબાઈના ભારે વાહનો (HGV) અને ૧૫ મીટરથી વધુ લંબાઈના આર્ટીક્યુલેટેડ વાહનો માટે ૨૫ મે ૨૦૨૬ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી, સવારે ૭:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.

સર્વસાધારણ ટ્રાફિક માટે: જૂના નાકા અંબાજીથી અંબાજી-આબુ રોડ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહનો અને પદયાત્રીઓ માટે ૨૫ મે ૨૦૨૬ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ (વૈકલ્પિક માર્ગો)

તંત્ર દ્વારા ટ્રાફિકના નિયમન માટે નીચે મુજબના ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે:

  • આબુરોડથી અંબાજી તરફ: આબુરોડથી આવતા ભારે વાહનોને સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
  • હિંમતનગર તરફથી અંબાજી: આ વાહનોને ડી.કે. ત્રિવેદી સર્કલથી દાંતા થઈને પાલનપુર તરફ વાળવાના રહેશે.
  • ભાદરવી પૂનમ મહામેળા માટે: મેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે હડાદ-પોશીના-દાણબોરા-નીચલાગઢ-આબુરોડ રૂટનો ઉપયોગ વૈકલ્પિક માર્ગ તરીકે કરવાનો રહેશે.
  • જૂના નાકા અંબાજી રૂટના વિકલ્પે: અંબાજી ટાઉનના અન્ય આંતરિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડ અને યાત્રાધામ વિકાસ બોર્ડને કામગીરી દરમિયાન યોગ્ય સાઇનેજીસ અને બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.

નોંધ: મુસાફરોને વિનંતી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન મુસાફરીનું આયોજન ઉપર દર્શાવેલ વૈકલ્પિક માર્ગોને ધ્યાનમાં રાખીને કરે.

 

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…