અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ…?

બનાસકાંઠા : અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા રસ્તાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (IAS) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

શું રહેશે પ્રતિબંધો?

-> આ જાહેરનામા મુજબ બે મુખ્ય પ્રતિબંધો અમલમાં રહેશે:

ભારે વાહનો માટે: ડી.કે. ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધીના માર્ગ પર ૧૨ મીટરથી વધુ લંબાઈના ભારે વાહનો (HGV) અને ૧૫ મીટરથી વધુ લંબાઈના આર્ટીક્યુલેટેડ વાહનો માટે ૨૫ મે ૨૦૨૬ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી, સવારે ૭:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.

સર્વસાધારણ ટ્રાફિક માટે: જૂના નાકા અંબાજીથી અંબાજી-આબુ રોડ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહનો અને પદયાત્રીઓ માટે ૨૫ મે ૨૦૨૬ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ (વૈકલ્પિક માર્ગો)

તંત્ર દ્વારા ટ્રાફિકના નિયમન માટે નીચે મુજબના ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે:

  • આબુરોડથી અંબાજી તરફ: આબુરોડથી આવતા ભારે વાહનોને સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
  • હિંમતનગર તરફથી અંબાજી: આ વાહનોને ડી.કે. ત્રિવેદી સર્કલથી દાંતા થઈને પાલનપુર તરફ વાળવાના રહેશે.
  • ભાદરવી પૂનમ મહામેળા માટે: મેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે હડાદ-પોશીના-દાણબોરા-નીચલાગઢ-આબુરોડ રૂટનો ઉપયોગ વૈકલ્પિક માર્ગ તરીકે કરવાનો રહેશે.
  • જૂના નાકા અંબાજી રૂટના વિકલ્પે: અંબાજી ટાઉનના અન્ય આંતરિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડ અને યાત્રાધામ વિકાસ બોર્ડને કામગીરી દરમિયાન યોગ્ય સાઇનેજીસ અને બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.

નોંધ: મુસાફરોને વિનંતી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન મુસાફરીનું આયોજન ઉપર દર્શાવેલ વૈકલ્પિક માર્ગોને ધ્યાનમાં રાખીને કરે.

 

  • Related Posts

    ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

    પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

    BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

    (BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…