વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત; સ્થાનિક યુવકે 3ના જીવ બચાવ્યા

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસે એક કરુણ અકસ્માતમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર કેનાલમાં ખાબકી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે બહાદુરીપૂર્વક બચાવી લીધા હતા.

ધોધની મુલાકાત બાદ પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધની મુલાકાતે આવ્યા હતા. સાંજના સમયે ધોધથી પરત વડોદરા જવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચલાવી રહેલા રોહિત વસાવાએ વાહન પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં પડતાં ચારેય યુવકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

સ્થાનિક યુવક બન્યો દેવદૂત
અકસ્માત બાદ હર્ષલ જગતાપ, સાહિલ મલેક અને જયદીપ રાઠોડ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન બાર વણઝાર ફળિયામાં રહેતા ચંદન દેવા વસાવા ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ચંદને પોતાની જાનની પરવા કર્યા વિના દોરડાની મદદથી હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ સાહિલ મલેક ઊંડા પાણીમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં ચંદને કેનાલમાં કૂદકો મારી તેને પણ બચાવી લીધો હતો.

કાર ચાલકનું ડૂબી જવાથી મોત
અકસ્માત સમયે કાર ચલાવી રહેલો રોહિત વસાવા પણ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેને તરતા ન આવડતાં તે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

કલાકોની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢાયો
ઘટનાસ્થળે પહોંચેલી રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કલાકોની શોધખોળ બાદ ફાયર કર્મચારીઓએ રોહિત વસાવાનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. અકસ્માતની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિસ્તારમાં શોકનો માહોલ
આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ, સ્થાનિક યુવક ચંદન દેવા વસાવાની બહાદુરીને લઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. તેના સમયસરના પ્રયાસોના કારણે ત્રણ યુવાનોના જીવ બચી શક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 

 

 

  • Related Posts

    કડીની મમતા Societyમાં ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી, Vibrant Eve 2026

    કડીની મમતા Societyમાં ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી, દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાએ મોહ્યું મન મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી મમતા Society ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ભક્તિ, આસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના અનોખા સમન્વય સાથે ઉજવવામાં આવ્યો હતો. સાત દિવસ સુધી ચાલેલા આ ગણેશ મહોત્સવમાં સોસાયટીના રહેવાસીઓ તેમજ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણપતિ બાપાની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી સોસાયટીમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. -> સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમાએ : મમતા Societyના આંગણે વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. સાત દિવસ સુધી સવાર-સાંજ પૂજા, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાના દર્શન માટે સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત આસપાસના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ગણપતિ મહોત્સવના સાતમા દિવસે સોસાયટીમાં ભક્તિનો માહોલ…

    Raihan:પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાધ્રાની સગાઈ : અવિવા બૈગ વિશે જાણો 5 મહત્વપૂર્ણ વાતો Exciting

    Raihan વાડ્રા-અવિવા બૈગની સગાઈ: કોણ છે અવિવા બૈગ? જાણો 5 મહત્વની વાતો પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર Raihan વાડ્રાની સગાઈ અવિવા બૈગ સાથે થઈ છે. રાજસ્થાનના રણથંભોરમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં યોજાયેલા ખાનગી સમારંભ બાદ આ સંબંધની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને તેમના સંબંધને લગભગ સાત વર્ષ થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સગાઈ બાદ અવિવા બૈગ કોણ છે, તેમનું શિક્ષણ શું છે અને તેઓ વ્યવસાયિક રીતે શું કરે છે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે. ઉપલબ્ધ જાહેર માહિતીના આધારે જાણીએ અવિવા બૈગ વિશેની 5 મહત્વની વાતો. 1. કોણ છે અવિવા બૈગ? અવિવા બૈગ દિલ્હી સ્થિત ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેઓ…