ખેડૂતોના આંદોલન વચ્ચે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, કહ્યું- મુખ્યમંત્રી ખેડૂતો માટે ઉદાર મનથી વિચારે છે

ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને શરૂ થયેલા આંદોલન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાંધીનગર કૂચ કરી રહેલા ખેડૂતો અને રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી હંમેશા લોકોના હિતમાં ઉદાર મનથી વિચારે છે અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે પણ સંવેદનશીલ અભિગમ ધરાવે છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. સેક્ટર-30 સર્કલ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ત્રણ શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકોને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી અને ગાંધીનગરમાં પ્રવેશતા ટ્રેક્ટરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી સંબોધન કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, “મુખ્યમંત્રી હંમેશા દરેક લોકો માટે ઉદાર મનથી વિચારે છે. ખેડૂતો માટે પણ તેઓ સમાન રીતે ઉદાર અને સંવેદનશીલ અભિગમ ધરાવે છે. તેઓ ઘણી વખત બોલ્યા વિના જ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્ય કરે છે.”

બીજી તરફ, ગાંધીનગર તરફ આગળ વધી રહેલા ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટ્રેક્ટર રેલીમાં કેટલાક ખેડૂતોએ કોંગ્રેસ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કોંગ્રેસ ખેડૂતોના મુદ્દાઓને રાજકીય લાભ માટે ઉપયોગમાં લઈ રહી છે અને ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે.

આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ખેડૂતો આગામી દિવસોમાં નવી રણનીતિ ઘડશે. ખેડૂત આગેવાનો દ્વારા અલગથી સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઓગણજ ટોલનાકા નજીક પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. અટકાયતના વિરોધમાં ખેડૂતો દ્વારા ટોલનાકા નજીક હોબાળો કરવામાં આવ્યો હતો.

 

 

 

  • Related Posts

    CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

    આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

    2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

    2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…