૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરનાર ઠાસરાના શખ્સને નડિયાદ પોક્સો કોર્ટે ફટકારી સજા

– ૪ વર્ષની કેદ અને ₹ ૨૫૦૦ દંડ ફટકારવામાં આવ્યો
– ₹ ૨૫૦૦ દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદ

પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાના ઠાસરામાંથી માત્ર ૧૫ વર્ષ અને ૨ માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી જવાના ગંભીર ગુનામાં નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ પી. પી. પુરોહિતે આરોપી અક્ષયકુમાર ઉર્ફે અક્કીને કસૂરવાર ઠેરવી ૪ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૨,૫૦૦નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર માસૂમ દીકરીને વળતર પેટે રૂ. ૫૦,૦૦૦ ચૂકવવાનો પણ સંવેદનશીલ આદેશ કર્યો છે.

એક્ટિવા પર બેસાડી ભગાડી ગયો હતો આરોપી
બનાવની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩માં ઠાસરાના હુસેની ચોક વિસ્તારમાંથી આરોપી અક્ષયકુમાર (ઉં.વ. ૨૨) ભોગ બનનાર સગીરાને પોતાની જાળમાં ફસાવી, તેના વાલીની સંમતિ વિના પોતાના એક્ટિવા (નંબર: જીજે-૦૭-સીઈ-૯૦૩૯) પર બેસાડીને ભગાડી ગયો હતો. આ અંગે ઠાસરા પોલીસ મથકે IPC કલમ ૩૬૩, ૩૬૬ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાતા સ્પેશિયલ કેસ નંબર ૯૬/૨૦૨૩ હેઠળ નડિયાદ કોર્ટમાં કાયદાકીય પ્રોસિડિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

૬ દસ્તાવેજી પુરાવા અને ૧૪ સાક્ષીઓની જુબાની નડી ગઈ
સરકાર પક્ષે કડક પેરવી કરતા સરકારી વકીલ પ્રેમ આર. તિવારીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ૧૪ મહત્ત્વના સાક્ષીઓની જુબાનીઓ અને ૬ જેટલા સજ્જડ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ગુનાની ગંભીરતા સાબિત કરી હતી. નામદાર કોર્ટે આ તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખીને આરોપીને કાયદાનું ભાન કરાવતી સજા સંભળાવી છે.

કોર્ટ ચુકાદાના મુખ્ય અંશો
– ચુકાદો આપનાર: સ્પે. પોક્સો જજ પી. પી. પુરોહિત (નડિયાદ)
* સરકારી વકીલ: પ્રેમ આર. તિવારીની સફળ દલીલો
* મુખ્ય સજા: IPC કલમ ૩૬૩ હેઠળ ૪ વર્ષની કેદ અને રૂ. ૨,૫૦૦ દંડ (દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદ)
* વિક્ટિમ કોમ્પેન્સેશન: ભોગ બનનાર બાળકીને રૂ. ૫૦,૦૦૦ વળતર ચૂકવવાનો હુકમ

સગીર વયની બાળકીઓની સુરક્ષા અને સામાજિક ન્યાયના પરિપ્રેક્ષ્યમાં પોક્સો કોર્ટનો આ નિર્ણય આવકારદાયક છે. આવા કડક ચુકાદાઓ સમાજમાં સગીરાઓ વિરુદ્ધ ગુનો આચરતા તત્વો માટે એક કડક ચેતવણી સમાન સાબિત થશે.

 

 

 

  • Related Posts

    CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

    આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

    2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

    2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…