નડિયાદ કોર્ટનો ચુકાદો: સગીરા પર અત્યાચાર ગુજારનાર સદામને ૨૦ વર્ષની સજા

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।

યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥

( જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જ્યાં નારીનું અપમાન કે શોષણ થાય છે ત્યાં તમામ સત્કર્મો નિષ્ફળ જાય છે.)

પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાની નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજ માટે એક દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપીને એક ૧૬ વર્ષની માસૂમ સગીર દીકરીને વાલીપણામાંથી ભગાડી જઈ, તેની મરજી વિરુદ્ધ અવારનવાર નરાધમ કૃત્ય આચરનાર આરોપી સદામહુસેન યુસુફભાઈ મલેક (રહે. વરસોલા, કસબામાં, તા. મહેમદાવાદ) ને સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે તમામ ગુનાઓમાં કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૩૫,૦૦૦નો આકરો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર પીડિત દીકરીને રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ પુરા) નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કાયદાના આ સખત પ્રહારે સમાજમાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

બનાવની વિગતો મુજબ, આ કાળજું કંપાવી દેનારી ઘટના તા. ૧૧/૦૬/૨૦૨૧ના રોજ બની હતી. આરોપી સદામહુસેન મલેકે બપોરના સમયે મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી ફરિયાદીની માત્ર ૧૬ વર્ષ અને ૧ માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને પોતાની મોટરસાયકલ (નંબર જીજે-૭બી-બીઈ-૬૨૦૬) ઉપર બેસાડી ત્યાંથી તે સગીરાને આંતરસુંબા નદીના અવાવરૂ કોતરોમાં લઈ ગયો હતો અને આખી રાત પોતાની સાથે રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટની કાર્યવાહી દરમિયાન, આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જ્યાં સરકાર પક્ષ તરફથી મહિલા સરકારી વકીલ યોગીબેન બારોટે ધારદાર રજૂઆતો કરી હતી. સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાહેદોની અત્યંત મજબૂત જુબાનીઓને ધ્યાને રાખીને, તેમજ તેમની સચોટ દલીલોને ગ્રાહ્ય રાખીને જજ પી. પી. પુરોહિતે આરોપીને કડક સજા સંભળાવી હતી. જેમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને ૨૫ હજાર દંડ, તેમજ ઈ.પી.કો. કલમ-૩૬૩ (અપહરણ) અને કલમ-૩૬૬ હેઠળ ૫-૫ વર્ષની સખત કેદ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો તેણે વધુ કેદની સજા ભોગવવી પડશે. કોર્ટના આ ન્યાયથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદાની સર્વોપરિતા સાબિત થઈ છે.

સમાજમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને લાલચ આપીને આચરવામાં આવતા ગુનાઓ સામે જાગૃત રહેવું અનિવાર્ય છે. આવા કિસ્સાઓમાં કાયદાકીય લડત અને ન્યાયતંત્ર પરનો ભરોસો જ પીડિતને ન્યાય અપાવે છે.

 

 

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…