કપડવંજ: અંતિસર ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

કપડવંજ: અંતિસર ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

કપડવંજ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, રાજ્યભરમાં ચાલી રહેલા ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત કપડવંજ તાલુકાના અંતિસર ગામે ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સુશાસન અને વિકાસનો સંકલ્પ

ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને યોજનાઓના અમલીકરણ અંગેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારી અને સુશાસન એ બંને મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વધુમાં, સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવી શિબિરો ખૂબ જ મહત્વનું માધ્યમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સરકારી યોજનાઓનું સરળ અમલીકરણ

શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી અને પારદર્શક રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ શિબિરમાં:

  • નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.

  • લાભાર્થીઓને યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે સહાય કરવામાં આવી હતી.

  • મંચ પરથી મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને વિવિધ સરકારી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો

આ શિબિરમાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જે. કે. પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ધૂળસિંહ સોલંકી, જગાભાઈ, અગ્રણી જીતુભાઈ તથા તાલુકા પંચાયતના અન્ય સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

 

  • Related Posts

    ACBની કાર્યવાહી: ૨૦૨૫માં ૨૧૩ ગુના, ૨૦૨૬માં જૂન સુધીમાં ૮૩ કેસ જાણો કયો વિભાગ કેટલો દૂષિત!

    Special Report: પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને ઝીરો ટોલરન્સના મોટા-મોટા દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB) દ્વારા જાહેર કરાયેલા આંકડા સરકારી બાબુઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની વરવી…

    નડિયાદ કોર્ટનો ચુકાદો: સગીરા પર અત્યાચાર ગુજારનાર સદામને ૨૦ વર્ષની સજા

    યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ । યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥ ( જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જ્યાં નારીનું અપમાન કે શોષણ…