IAS અધિકારીઓની ઉદાસીનતા: ધોળકામાં પ્રદૂષણ મુદ્દે કોર્ટની નોટિસ

પંકજ મકવાણા – અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોના જળસ્ત્રોતોમાં ફેલાયેલા ગંભીર પ્રદૂષણને ન રોકી શકવા બદલ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધાં છે. કોર્ટે ચાર આઈએએસ અધિકારીઓ અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અદાલતના આદેશોનું પાલન ન કરવા બદલ ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન એમ. થેન્નારસન, મેનેજિંગ ડિરેક્ટર રમ્યા મોહન અને ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થના જાડેજાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે 25 સપ્ટેમ્બરે આ નોટિસ જારી કરી, જે 2018ની એક જનહિત અરજી (PIL)ના સંદર્ભમાં છે. આ અરજીમાં હાર્દિક શાહે આક્ષેપ કર્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને ઔદ્યોગિક એકમોનું રાસાયણિક…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે, તા. 29 સપ્ટેમ્બર,2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 146 ડેમ હાઇ એલર્ટ પર SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક…

Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં મોરા ગામમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ મહિલાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચ્યો છે. 10 દિવસ પહેલા જ યુવતી હોસ્પિટલમાં થઈ હતી દાખલ નવજાત બાળકની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેમની માતાએ સિવિલ હોસ્પિટલના જ કેમ્પસમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. આપઘાત કરનાર યુવતી 10…

નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે. રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે. બનાસકાંઠા…

અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ દરમિયાન ખેલૈયા માટે મેટ્રોએ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આ નિર્ણય ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયાવન મોટી રાહત મળશે. આ સાથે મસમોટા વાહન ભાડા અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. ખેલૈયાઓમાં ખુશીનો માહોલ રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, AMTS…

રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂ.200 કરોડનું બજેટ પ્રાવધાન કરેલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે. તજજ્ઞોની એડવાઈઝરી કમિટી રચવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ

RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ 1925માં નાગપુરથી RSSની શરૂઆત 1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ પ્રચારક પ્રથા દ્વારા હિન્દુ સમાજના સંગઠનનો સંદેશ મહારાષ્ટ્રના યુવાનો દ્વારા સંઘના સંદેશને દેશભરમાં ફેલાવ્યો મોહન ભાગવતના વિવાદાસ્પદ નિવેદનોથી સંઘની છબી પર અસર સંઘના નૈતિક મૂલ્યો અને મૂળ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન શું આરએસએસ ‘રાજકીય સેવા સંસ્થા’ બની રહી છે? 100 વર્ષ બાદ RSSના માર્ગ અને મિશન પર પુનર્વિચાર જરૂરી શતાબ્દી વર્ષમાં RSSના ભવિષ્ય માટે નવી દિશા જરૂરી શતાબ્દી ઉજવણીમાં હેગડેવરજીની મૂળ વિચારધારાનો અભાવ 1989ની જન્મ શતાબ્દી ઉજવણી સામે 2025ની શતાબ્દી ઉજવણી ફીકી કેમ? સંઘના નૈતિક અધપતન પર સેવકોમાં ઉદ્વેગ અને આત્મમંથન રાજકીય નેતાઓની નજીકતા RSSના મૂળ સિદ્ધાંતો સામે પડકાર…

અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે. કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ…

દેશ વિરોધી કામ કરનાર હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કોણ છે? જાણો કેમ બની પાકિસ્તાની જાસૂસ

સોશિયલ મીડિયા પર સક્રિય હરિયાણાના લોકપ્રિય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી આપવાના ગંભીર આરોપો છે. આમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને તેના પાંચ મિત્રોનો સમાવેશ થાય છે. જ્યોતિની હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શનથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ હિસારની રહેવાસી છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પર 3.77 લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.31 લાખ ફોલોઅર્સ છે. તે યુટ્યુબ પર ટ્રાવેલ વિથ જો નામથી આ ચેનલ છે. આમાં, તે ભારત અને વિદેશના સ્થળોની મુસાફરી સંબંધિત સંસ્મરણો અને ચોક્કસ સ્થળો વિશેની માહિતી શેર કરે છે. જ્યોતિ કોઈપણ દેશની મુલાકાત લે છે, તે તે સ્થળના ખાસ સ્થળો, ખોરાક અને સંસ્કૃતિને લગતા વીડિયો બનાવે છે અને અપલોડ…

“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ તેને પ્રોત્સાહન આપનાર દરેક જીવંત કડી સુધી પહોંચવું જોઈએ.” એ કારણે, હવે કાયદાની નજરમાં સરકારી કર્મચારી ન હોવા છતાં ભ્રષ્ટાચારમાં સહભાગી વ્યક્તિને પણ દોષિત ઠેરવી શકાય છે. આ ચુકાદો પી. શાંતિ પુગઝેન્થી વિ. રાજ્ય કેસના સંદર્ભમાં આવ્યો છે. આરોપ મુજબ એક સરકારી અધિકારીની પત્નીએ પોતાની ઓળખ અને પદનો દુરુપયોગ કરીને આવી સંપત્તિ મેળવણીમાં સહભાગી થઈ હતી જે તેની પતિની આવકથી અનેકગણી વધારે હતી. ભ્રષ્ટાચારના કેસમાં ભાગીદારીનું પરિભાષાંતરણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) મુજબ કોઈ સરકારી કર્મચારી પોતાની આવકના ન્યાયસંગત સ્ત્રોતથી વધુ સંપત્તિ ધરાવે તો એ…