અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ દરમિયાન ખેલૈયા માટે મેટ્રોએ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે.

26 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આ નિર્ણય ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયાવન મોટી રાહત મળશે. આ સાથે મસમોટા વાહન ભાડા અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.

ખેલૈયાઓમાં ખુશીનો માહોલ
રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, AMTS અને BRTS બસ દોડાવવા માટે માંગ ઉઠી હતી. ત્યારે આ નિર્ણયથી અમદાવાદ અને ગાંધીનગરના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. અમાવાદમાં છેલ્લાં બે વર્ષથી નવરાત્રી દરમિયાન મેટ્રોનો સમય વધારવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવરાત્રી શરૂ થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ નિર્ણય લેવાયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નાના ભૂલકાંઓનું મોટું સપનું: વડનગરથી ગુજરાતના શિક્ષણનો નવો ઇતિહાસ!

શિક્ષણનું પર્વ: વડનગરની ધરતી પરથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો થયો ‘શંખનાદ’! વડનગર: ગુજરાતની ધરતી પર જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે વડનગરનું નામ અગ્રણી રહે છે. આજે વડનગરથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’ અભિયાનનો…

જ્યારે ભક્તના વિશ્વાસને ખાતર સાક્ષાત દ્વારકાધીશ બન્યા ‘શામળશા શેઠ’: નરસિંહ મહેતાની હુંડીનો અદભૂત પ્રસંગ

જૂનાગઢ: ગુજરાતની પવિત્ર ભૂમિ સંતો અને શૂરવીરોની ગાથાઓથી ગુંજતી રહી છે. આ ભૂમિ પર અનેક ભક્તો થયા, જેમણે પોતાની ભક્તિથી પરમાત્માને પૃથ્વી પર આવવા મજબૂર કર્યા. આજના આધુનિક યુગમાં, જ્યારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *