નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે.

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે.

રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી રાહ તાલુકો બનશે.
તાપી જિલ્લાના સોનગઢમાંથી ઉકાઈ તાલુકાની રચના થશે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી ગોધર નવો તાલુકો બનશે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો બનશે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાની રચના થશે
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો નવો બનશે
અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શામળાજી તાલુકો બનશે
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો બનશે.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ તાલુકો બનશે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી ગોવિંદગુરૂ લીમડી તાલુકો બનશે
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું નિર્માણ થશે.
ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ બંને તાલુકાના અમુક વિસ્તારોને સમાવીને ફાગવેલ તાલુકો બનશે

લોકોને મળશે રાહત
રાજ્ય સરકારે નવા તાલુકાઑની રચના કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે હવે નવા તાલુકાની રચનાથી જનતાને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે. લોકોને કામકાજ માટે વધુ સરળતા રહેશે. નવા વહીવટી એકમોની રચનાથી જે તે વિસ્તારના વિકાસને વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *