નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે.

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે.

રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી રાહ તાલુકો બનશે.
તાપી જિલ્લાના સોનગઢમાંથી ઉકાઈ તાલુકાની રચના થશે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી ગોધર નવો તાલુકો બનશે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો બનશે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાની રચના થશે
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો નવો બનશે
અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શામળાજી તાલુકો બનશે
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો બનશે.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ તાલુકો બનશે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી ગોવિંદગુરૂ લીમડી તાલુકો બનશે
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું નિર્માણ થશે.
ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ બંને તાલુકાના અમુક વિસ્તારોને સમાવીને ફાગવેલ તાલુકો બનશે

લોકોને મળશે રાહત
રાજ્ય સરકારે નવા તાલુકાઑની રચના કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે હવે નવા તાલુકાની રચનાથી જનતાને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે. લોકોને કામકાજ માટે વધુ સરળતા રહેશે. નવા વહીવટી એકમોની રચનાથી જે તે વિસ્તારના વિકાસને વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *