NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે ઉત્તમ રહેશે. શાહે કહ્યું કે બિહાર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ન ઉતારવાના પ્રશ્ન પર સ્પષ્ટતા આપી, NDA પાસે ચાર મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. ટિકિટ ફક્ત વિજેતા ઉમેદવારોને જ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું. અમિત શાહે મહાગઠબંધન પર ટિપ્પણી કરી, તેમના પોસ્ટરોમાંથી લાલુ યાદવનો ફોટો હટાવવાનું ઉલ્લેખ કરીને કહ્યું કે અમારામાં એવા લોકો છે જેઓ ચૂંટણી લડતા નથી છતાં તેમને પોસ્ટરોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો, ત્યારે BJP વધુ મજબૂત…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો

ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના રોજ સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમનું આગમન રાજ્યમાં મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયોની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. સાંજનો કાર્યક્રમ: – અમિત શાહનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થવાની શક્યતા છે – ત્યાંથી તેઓ સીધા તેમના નિવાસસ્થાન પર જશે – શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ મંત્રીમંડળના વિસ્તરણ અંગે નિર્ણાયક યોજનાઓ આગળ વધી શકે મહત્વપૂર્ણ રાજકીય આગમનો: આજ મોડી રાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત પહોંચશે. ગુરુવારે એટલે કે 16 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા પણ ગુજરાત આવશે. ભાજપના ટોપ લીડરોના આગમનથી રાજ્યના રાજકારણમાં નવી ચહલપહલ…

બિહારમાં BJP નહીં અપનાવે ગુજરાત મોડલ, ઉમેદવારોની પસંદગી માટે કરશે આ ફોર્મ્યુલાનો ઉપયોગ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA સત્તા ટકાવી રાખવા માટે સમીકરણો મુજબ ઉમેદવારોની પસંદગી કરી રહી છે. આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો માટે ઉમેદવારોના નામ અંતિમ સ્વરૂપ આપી દીધા છે અને જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાર્ટી બિહારમાં ટિકિટ વિતરણમાં ગુજરાત મોડેલ અપનાવશે નહીં. એટલે કે, તે 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરશે નહીં. ભાજપે ઘણી વાર બધી ચૂંટણીઓમાં આ મોડેલનો ઉપયોગ કર્યો છે, લગભગ 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે અને તેમના સ્થાને યુવાનોને તક આપી છે, પરંતુ આ વખતે બિહારમાં આ મોડેલ અપનાવવામાં આવશે નહીં. જોકે, સૂત્રો સૂચવે છે કે પાર્ટી 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ…

આસામમાં ભાજપને લાગ્યો મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધરી દીધું રાજીનામું

આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 17 અન્ય સભ્યો પણ જોડાયા છે. રાજેન ગોહૈને રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાને લખેલા પત્રમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદ અને પાર્ટીની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામું આપનારા મોટાભાગના સભ્યો ઉપલા અને મધ્ય આસામના છે. પત્રકારો સાથે વાત કરતા, રાજેન ગોહૈને કહ્યું કે ભાજપ આસામના લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ અને સ્થાનિક સમુદાયો સાથે દગો કર્યો, જ્યારે બહારના લોકોને રાજ્યમાં સ્થાયી થવા દીધા.” ગોહૈનનું જાણો રાજકીય કરિયર રાજેન ગોહૈન…

બિહાર ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. દરમિયાન, રવિવારે પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણીઓ 22 નવેમ્બર પહેલા પૂર્ણ થશે, કારણ કે વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. 4 અને 5 ઓક્ટોબરના રોજ પંચે બિહારની મુલાકાત લીધી હતી , જ્યાં મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષો, અધિકારીઓ, પોલીસ અને નાગરિક સમાજ સાથે મુલાકાત કરી હતી. ચર્ચામાં કાયદો અને વ્યવસ્થા, ખર્ચનું નિરીક્ષણ અને મતદાન મથકોની વ્યવસ્થાનો સમાવેશ થતો હતો. રાજકીય પક્ષોએ તબક્કાઓની સંખ્યા અંગે સૂચનો આપ્યા હતા અને પંચે છઠ પૂજા 18-28 ઓક્ટોબર)…

વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ

RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ 1925માં નાગપુરથી RSSની શરૂઆત 1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ પ્રચારક પ્રથા દ્વારા હિન્દુ સમાજના સંગઠનનો સંદેશ મહારાષ્ટ્રના યુવાનો દ્વારા સંઘના સંદેશને દેશભરમાં ફેલાવ્યો મોહન ભાગવતના વિવાદાસ્પદ નિવેદનોથી સંઘની છબી પર અસર સંઘના નૈતિક મૂલ્યો અને મૂળ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન શું આરએસએસ ‘રાજકીય સેવા સંસ્થા’ બની રહી છે? 100 વર્ષ બાદ RSSના માર્ગ અને મિશન પર પુનર્વિચાર જરૂરી શતાબ્દી વર્ષમાં RSSના ભવિષ્ય માટે નવી દિશા જરૂરી શતાબ્દી ઉજવણીમાં હેગડેવરજીની મૂળ વિચારધારાનો અભાવ 1989ની જન્મ શતાબ્દી ઉજવણી સામે 2025ની શતાબ્દી ઉજવણી ફીકી કેમ? સંઘના નૈતિક અધપતન પર સેવકોમાં ઉદ્વેગ અને આત્મમંથન રાજકીય નેતાઓની નજીકતા RSSના મૂળ સિદ્ધાંતો સામે પડકાર…

આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ રહી છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી 13 થી 23 મે દરમિયાન યોજાનાર પ્રચાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ ભારતના સફળ ઓપરેશન્સ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને પ્રકાશિત કરીને લોકોને એક કરવાનો પ્રયાસ કરશે. ભાજપે સોંપી આ નેતાઓને જવાબદારી આ યાત્રા દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા…

પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.…

BJPની કમાન નડ્ડાના હાથમાં જ રહશે ! ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે રાહ જોવી પડશે ,જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જેપી નડ્ડા આગામી ચૂંટણી સુધી ભાજપના પ્રમુખ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ચૂંટણી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં થોડો વિલંબ થશે. પાર્ટી પ્રમુખની ચૂંટણી ક્યારે થશે તે હાલમાં સ્પષ્ટ નથી. ભાજપ અગાઉ આગામી મહિનામાં એટલે કે મે મહિનામાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવા જઈ રહ્યું હતું. પરંતુ પહેલગામ હુમલા બાદ હવે આ ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રમાં સત્તામાં હોવાથી, ભાજપ હાલમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન પહેલગામ હુમલા પર કેન્દ્રિત કરવા માંગે છે. તેથી, પાર્ટી પ્રમુખની ચૂંટણી થોડા…

વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ચાર પાંખિયો જંગ ! શંકરસિંહ વાઘેલાએ શરૂ કરી તૈયારી

ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન વગર લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર પર ફોકસ વધારી રહ્યા છે. વિસાવદરની પેટા ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા ડેમોક્રેટિક પાર્ટીએ પણ તૈયરીઑ શરૂ કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરના કાર્યકર્તાઑને સંબોધન કરશે અને પેટા ચૂંટણીની તૈયારીઑ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટયું લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું હતું. પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…