BJPના નેતાએ સામાજીક અસમાનતા ઉપર કર્યા પ્રહારો, જણાવી વાસ્તવિક પરિસ્થિતિ

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના પક્ષના નેતા હોય કે કોઈ અધિકારી પોતાની વાત અને જનતાની વાસ્તવિકતા દર્શાવવા કોઇની શેહ શરમ નથી ભરતા. બેબાક રીતે પોતાની વાત રજૂ કરે છે. ત્યારે આજે ફરી એક વાર સમાજની વાસ્તવિકતા સામે લાવ્યા છે. ડો. ભરત કાનાબારે દલિતોને સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. અંબેડકર જયંતીએ દલિતોની સામાજીક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે.

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. ત્યારે આજે ડોક્ટર આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહિત ભાજપના શીર્ષ નેતાઓને ટેગ કર્યા છે.

 

જાણો શું કહ્યું ડૉ. કાનાબારે
ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે, કે દલિતોના રહેઠાણો ગામ કે શહેરની બહારના અલ્પવિકસિત વિસ્તારો પૂરતા સીમિત છે. જ્યાં સુધી બિનદલિતોની કોલોનીઓ અને સોસાયટીઓમાં દલિતોને કોઈ મકાન વેચાતું કે ભાડે આપતું નથી, ત્યાં સુધી ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને ગમે તેટલા ફુલહાર કરીએ તેમાં નર્યા દંભ અને બનાવટથી વિશેષ કશું જ નથી. આઝાદીના 78 વર્ષ પછીની આ કડવી વાસ્તવિકતા રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત હોવાનું ડોક્ટર કાનાબારે જણાવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *