ડિસ્ટર્બિંગ ટીઝર અને ટોક્સિક’સિનેમેટિક ભાષાનો વધતો ટ્રેન્ડ,સિનેમાનો નવો ચહેરો?

“ટોક્સિક ટીઝર” સાઉથ સુપર સ્ટાર યશના ચાહકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. જ્યારથી રોકિંગ સ્ટાર યશે તેની KGFફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું મનજીતી લીધુ છે. ત્યારથી દર્શકોને તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ થયું છે. ત્યારે અભિનેતા યશના જન્મદિવસે તેના “ટોક્સિક” ના ટીઝરમાં તેનો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.વहीं બીજી તરફ ફિલ્મનો ટીઝર હવે ગંભીર વિવાદોમાં ફસાતો નજરે પડી રહ્યો છે. હાલમાં ફિલ્મના ટીજર સામે એક કાનૂની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં ટીજર પર અશ્લીલતા ફેલાવવાનો, સામાજિક મૂલ્યોને ઠેસ પહોંચાડવાનો અને નાબાલિગો પર ખોટી અસર થવાની શક્યતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદ બાદ ફિલ્મ અને તેના નિર્માતાઓ માટે મુશ્કેલીઓ વધતી હોવાનું દેખાઈ રહ્યું…

ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વધતા વિવાદ વચ્ચે અભિનેતા મનોજ બાજપેયીએ આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ કહ્યું, “હું લોકોની લાગણીઓને સમજી શકું છું. કોઈની આસ્થા કે વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. આ ફિલ્મ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી એક બુરાઈ પર આધારિત કહાણી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે કળાનો હેતુ સમાજની હકીકતો સામે લાવવાનો હોય છે, કોઈને નિશાન બનાવવાનો નહીં.અભિનેતાએ આગળ કહ્યું કે જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો સંવાદ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવામાં આવવો જોઈએ. બીજી…

પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર

‘પરીક્ષા પે ચર્ચા’  કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક…

મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ

ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી પાત્રો અને ધમાકેદાર સંવાદોનો જાદુ હવે મોબાઇલ અને લેપટોપની નાની સ્ક્રીનમાંથી બહાર આવીને સીધા સિનેમા ઘરોના વિશાળ પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટએ અધિકૃત રીતે ‘મિર્ઝાપુર ધ મૂવી’ની જાહેરાત કરી છે. આ સમાચારે કરોડો ફેન્સ માટેકોઈ ઉત્સવથી ઓછા નથી જેઓ વર્ષોથી કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિત વચ્ચેની શત્રુતાને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે આતુર હતા ક્યારે મચશે અસલી ધમાલ? ફેન્સની લાંબી રાહનો અંત લાવતા મેકર્સે આખરે ફિલ્મની રિલીઝ તારીખ પરથી પડદો ઉઠાવી દીધો છે. હવે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી…

ગુજરાતમાં : GSEB HSC 2026 હોલ ટિકિટ – પ્રેક્ટિકલ પરીક્ષા માટે એડમિટ કાર્ડ કરી શકાશે ડાઉનલોડ, જાણો વિગત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ એડમિટ કાર્ડ ધોરણ 12ના તે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ રહી છે. શાળા દ્વારા નોંધાયેલા અને પાત્ર ઉમેદવારો તેમના હોલ ટિકિટ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ — sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org — પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) તા. 27/01/2026 થી બોર્ડની વેબસાઇટ્સ –sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. શાળાઓ પોતાના સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ…

પી.એમ.કિસાન પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, મળી આટલા કરોડની ગ્રાન્ટ

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રૂ.206 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ ગુજરાતના ખેડૂતોએ કરેલ ફાર્મર રજીસ્ટ્રીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને…

રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. 21 ફેબ્રુઆરીથી થશે શરૂ, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન…

Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો

બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત…

મણિપુરને મળશે નવા મુખ્યમંત્રી, BJP અહીં બે નાયબ મુખ્યમંત્રી કરશે નિયુક્ત

એક વર્ષ પછી, ભાજપ મણિપુરમાં નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વરિષ્ઠ નેતા યુમનમ ખેમચંદ સિંહને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ નવા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. નેમચા કિપગેનને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવશે . આ મણિપુરમાં મેઇતેઈ સમુદાય ઉપરાંત કુકી સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આના કારણે તેમનું પદ ગુમાવવું પડ્યું અને વધુ સંઘર્ષ ટાળવા માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ખેમચંદ સિંહ મેઈતેઈ સમુદાયના છે. કિપગેન પણ કુકી નેતા છે. આ પહેલને રાજ્યમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી…

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર, યુવા પેઢીની પસંદ બની જરી સાડીઓ

ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા 120 વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે. સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતા પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. સમય બદલાતો ગયો તેમ પેઢીઓ બદલાતી ગઈ, પરંતુ જરીનો વારસો યથાવત રહ્યો. આજે આ પરિવારની નવી પેઢી…