ગુજરાતમાં : GSEB HSC 2026 હોલ ટિકિટ – પ્રેક્ટિકલ પરીક્ષા માટે એડમિટ કાર્ડ કરી શકાશે ડાઉનલોડ, જાણો વિગત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ એડમિટ કાર્ડ ધોરણ 12ના તે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ રહી છે.

શાળા દ્વારા નોંધાયેલા અને પાત્ર ઉમેદવારો તેમના હોલ ટિકિટ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ — sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org — પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) તા. 27/01/2026 થી બોર્ડની વેબસાઇટ્સ –sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

શાળાઓ પોતાના સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

અડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

1: GSEBની અધિકૃત વેબસાઇટ gseb.org પર મુલાકાત લો.
2: હોમ પેજ પર આપેલ GSEB HSC સાયન્સ હોલ ટિકિટ 2026 લિંક પર ક્લિક કરો.
3: એક નવું પેજ ખુલશે, જ્યાં શાળાઓને લોગિન વિગતો દાખલ કરવી પડશે.
4: Submit પર ક્લિક કરો, ત્યારબાદ હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે.
5: હોલ ટિકિટ ડાઉનલોડ કરો અને તેની એક હાર્ડ કોપી સાચવી રાખો.

એડમિટ કાર્ડ (હોલ ટિકિટ)નું પ્રિન્ટઆઉટ લીધા પછી, શાળાઓએ ઉમેદવારના ફેબ્રુઆરી 2026ની પરીક્ષા અરજીપત્રમાં દર્શાવેલા વિષયો અને માધ્યમનું ચકાસણી કરવી આવશ્યક છે. ત્યારબાદ એડમિટ કાર્ડ પર ઉમેદવાર, વર્ગશિક્ષક અને પ્રિન્સિપાલના હસ્તાક્ષર કરાવવા જોઈએ અને નિર્ધારિત સ્થળે યોગ્ય રીતે સહી સિક્કા કરાવ્યા બાદ એડમિટ કાર્ડ ઉમેદવારને આપવામાં આવવું જોઈએ.

એડમિટ કાર્ડ સાથે-સાથે શાળાઓએ ઓનલાઈન એડમિટ કાર્ડ વિતરણ યાદી (ડિસ્ટ્રિબ્યુશન લિસ્ટ)નું પ્રિન્ટઆઉટ પણ કાઢવું પડશે અને એડમિટ કાર્ડ પ્રાપ્ત થયાની પુષ્ટિ તરીકે ઉમેદવારના હસ્તાક્ષર લેવા પડશે.વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવારો જીએસઈબી (GSEB)ની અધિકૃત વેબસાઇટ જોઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

‘વારંવાર રજૂઆત છતાં કોઈ મારી વાત નહોતું સાંભળતું’, હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા પાછળના કારણો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હરભજન સિંહે દાવો કર્યો છે કે AAPમાં રહીને તેમણે પંજાબના રમતગમત ક્ષેત્ર માટે અનેક સૂચનો અને રજૂઆતો કરી હતી, પરંતુ તેમના વિચારો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ, તેઓ રાજકારણ કરતાં રમતગમતના વિકાસ માટે કામ કરવાની આશા સાથે AAPમાં જોડાયા હતા. હરભજન સિંહે એપ્રિલ 2026માં AAP છોડીને BJPનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ રાઘવ ચઢ્ઢા સહિત AAPના અન્ય છ રાજ્યસભા સાંસદો સાથે BJPમાં જોડાયા હતા. તેમના રાજકીય પક્ષપલટા બાદ પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હરભજન સિંહ રમતગમતના વિકાસ માટે રાજકારણમાં આવ્યા હતા હરભજન સિંહના જણાવ્યા પ્રમાણે,…

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…