વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે. ત્યારે આવી બનાવટી એજન્સી કેવી રીતે લોકોને ફસાવી શકે છે અને કેવી રીતે સાવધાન રહી શકાય તેના વિશે જાણીએ. સામાન્ય નાગરિકોને વિઝા સ્કેમનો ભોગ બનાવતી ફેક એજન્સીઓ પોતાને કાયદેસરના વિઝા સર્વિસ પ્રોવાઈડર તરીકે રજૂ કરે છે. તેઓ અરજદારોને વિવિધ પ્રકારની લાલચ આપી જાળમાં ફસાવે છે. જેમ કે, અપફ્રન્ટ પેમેન્ટ સ્કેમ. જેમાં વિઝાની પ્રક્રિયાના બહાને મોટી રકમ એડવાન્સમાં મેળવી એજન્સી અદૃશ્ય થઈ જાય છે. આવી એજન્સીઓ વિઝા મળવાની ખોટી ખાતરી આપી વિશ્વાસ સંપાદન કરે છે. ત્યાર બાદ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફી વસૂલવામાં આવે છે. આ માટે…

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ 2026 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. વન્યજીવ વિભાગ દ્વારા વ્યવસ્થિત આયોજન અને કામગીરી આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ઝોન માટે એક સમર્પિત ટીમની નિમણૂક કરવામાં…

વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી સરકાર કરશે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી , જાણો ક્યારે શરૂ થશે નોંધણી પ્રક્રિયા

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં ચણા અને રાઇ પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે. 13 ફેબ્રુઆરીથી શરૂ થશે નોંધણી કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 13 ફેબ્રુઆરીથી…

કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આશરે એક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જેટલા ખાસ પ્રકારના પાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે,…

કોડીનારના સિંધાજ ગામે સિંહ પરિવારની લટાર, જુઓ વીડિયો

શબ્બીર સેલોત, કોડીનાર / કોડીનાર તાલુકાના સિંધાજ ગામમાં ગત રાત્રિએ આઠ સિંહોના પરિવારે ગામની શેરીઓમાં પ્રવાસ કર્યો હતો. ખોરાકની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહ પરિવારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. આ ઘટના ગીર જંગલની સરહદ નજીક આવેલા ગામમાં બની હતી . CCTV ફૂટેજમાં સિંહ, સિંહણ અને તેમના બચ્ચાંઓ સહિતનો આખો પરિવાર શાંતિપૂર્વક ગામની ગલીઓમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ અચાનક આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ અવારનવાર ગીર જંગલની સીમા લાગતા ગામોમાં પ્રવેશ કરે છે. સિંધાજ ગામ છેલ્લા કેટલાક દિવસોથી સિંહ પરિવારનું અસ્થાયી રહેણાંક બની ગયું છે, જ્યાં ગામની આસપાસના વિસ્તારોમાં સિંહો ધામા નાખી રહ્યા હોવાના અહેવાલો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ સક્રિય બન્યું…

Junagadh :ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ

કૃતાર્થ વૈષ્ણવ, જૂનાગઢ : જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ હતી. જેમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણએ જણાવ્યું હતું કે, સત્ય સામેથી છાત્ર પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. કોઇપણ નવિનત્તમ જ્ઞાન યુનિ.નાં બાળકોને મળી રહે તેજ બોર્ડ ઓફ સ્ટડીઝની ભુમીકા છે. ભારતિય જ્ઞાન પરંપરામાં ઋષિકુળથી સાંપ્રત સમય સુધી શિક્ષણનો આત્મા તો એ જ છે, સત્ય તો એ જ છે, અધ્યાત્મ તો એ જ છે, મૂલ્યો પણ એ જ છે, નૈતિક ખ્યાલો પણ એ જ છે, શુચિતાભર્યું પવિત્ર જીવન કે એવા ખ્યાલો પણ એ જ છે, જ્ઞાનની પવિત્રતા પણ એ જ છે, જ્ઞાનની મહત્તા…

રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન, Starlink સાથે કર્યા LoI

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી Starlink સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.…

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા છે. ઓગસ્ટ 2024 માં ભારત–મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળ્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે, જેને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કુઆલાલંપુર પહોંચતાં જ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર જાતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. “કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં”-પો મોદી મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પ્રાદેશિક…

BCCI એ વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત,વિરાટ કોહલી અને રોહિત શર્મા A+ કેટેગરીમાં યથાવત્

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2024–25 માટેની વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 30 ભારતીય ખેલાડીઓને ચાર અલગ-અલગ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટ યાદીથી સ્પષ્ટ થાય છે કે BCCI હવે માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ શિસ્ત અને ઘરેલું ક્રિકેટને પણ સમાન મહત્વ આપી રહ્યું છે. A+ કેટેગરીમાં સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમની સાથે જ ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ ચારેય ખેલાડીઓ ભારતીય ક્રિકેટની રીડ તરીકે ગણાય છે અને તેમનું સ્થાન બોર્ડના વિશ્વાસને દર્શાવે છે. આ યાદીમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર ઈશાન કિશન અને…