ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના, રાજ્યને મળશે અનોખુ ગૌરવ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે. ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે…
જામનગર: કોર્પોરેટર અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોનો હુમલો,, જાણો વિગત
જામનગર મહાનગરપાલિકા ખાતે સક્રિય રાજકારણમાં જાણીતા કોર્પોરેટર અસલમ ખીલજી પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. તેમને લોહીનું ઘાટ પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું છે. પક્ષપલટા બાદ હુમલો અસલમ ખીલજી અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાનું નિર્ણય લીધું હતું. પક્ષપલટા બાદ જ થયેલો આ હુમલો રાજકીય અદાવતના સંકેત રૂપે જોવાયો છે. પોલીસ તપાસ અને પગલાં હુમલાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. પોલીસ ગુનો નોંધતાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ માટે ગુપ્ત જાણકારી…
રાજ્યમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિષે
ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆત સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ સાથે 2025ની વિદાય અને નવા વર્ષની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની સંભાવના છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર કચ્છના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં માવઠાની શક્યતા છે. દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ તેમજ વાવ-થરાદ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનના પારા…
સુપ્રીમ કોર્ટે અરવલ્લીના આદેશ પર લગાવી રોક, આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી પર્વતમાળા ગણવામાં ન આવે તે આદેશ પર સ્ટે આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની જાતે જ નોંધ લીધી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણી બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે. આ જ કારણ છે કે આ મામલાની નોંધ લેવામાં આવી છે. કોર્ટે અરવલ્લી પર્વતમાળાની તપાસ માટે એક સમિતિની રચના કરી અને આગામી સુનાવણી માટે 21 જાન્યુઆરીની તારીખ નક્કી કરી. CJI એ કહ્યું કે કેટલાક ટેકનિકલ મુદ્દાઓ પર સ્પષ્ટતાની જરૂર છે. તેમણે કહ્યું, “અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાની તપાસ સમયાંતરે ડોમેન નિષ્ણાતોની બનેલી ઉચ્ચ-શક્તિવાળી સમિતિ…
ધારાસભ્ય યોગેશ પટેલને મળી ડિજિટલ એરેસ્ટની ધમકી, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીએ કરી ઝડપી કાર્યવાહી
સાયબર ઠગો હવે નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મોબાઈલ પર ફોન કરીને એક સાયબર ઠગે ખોટી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઠગે જણાવ્યું કે “તમને નોટિસ મોકલવામાં આવી છે” અને કાયદાકીય કાર્યવાહી તેમજ ધરપકડ જેવી ધમકી આપી. ફોનની શંકા જતાં ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીને તરત જ સમગ્ર મામલે જાણ કરી હતી. પોલિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર મુદ્દો સાયબર ઠગે ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરી કહ્યું કે તે મુંબઈથી બોલી રહ્યો છે અને તેમને નોટિસ મોકલવામાં આવી છે. ઠગે ડરનો માહોલ ઊભો કરીને દબાણ વધારવાનો પ્રયાસ કર્યો, જેથી ધારાસભ્ય તેમની માંગણીઓ સ્વીકારી લે. પણ યોગેશ પટેલે…
5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, જૂનો વિવાદ થયો શાંત
ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરીને એકબીજાને મીઠાઈ ખવડાવી મામલાને પૂર્ણવિરામ આપ્યું છે. આ સમાધાન બાદ લાંબા સમયથી ચર્ચામાં રહેલો વિવાદ હવે શાંત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના મૂળમાં અગાઉ થયેલી તકરાર જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. દેવાયત ખવડ એક ડાયરાના કાર્યક્રમમાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ગંભીર બન્યો હતો. શું હતો સમગ્ર મામલો? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામ નજીક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો. તેમની ફોર્ચ્યુનર કારને કિયા કાર સાથે…
ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં – અનિરૂદ્ધ દવે (કચ્છ) – ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ) – અજય બ્રહ્મભટ્ટ…
જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અગત્યની નવી નિમણૂકો: મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ મુખ્ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે.…
Vadodara : ખુલ્લા મેનહોલમાં પડવાથી નિવૃત્ત DSPના પુત્રનું મોત, તંત્ર થયું દોડતું
વડોદરામાં પોતાના પરિવાર સાથે રાત્રિભોજન માટે બહાર ગયેલા એક વ્યક્તિ સાથે ભયાનક અકસ્માત થયો. અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લા મેનહોલમાં પડી જવાથી 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું. ઘટનાની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે મૃતકની ઓળખ વિપુલસિંહ ઝાલા તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિપુલસિંહના પિતા ગુજરાત પોલીસના નિવૃત્ત DSP છે. વિપુલના સંબંધીએ જણાવ્યું કે વિપુલ શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે કાર પાર્ક કરવા માટે બહાર ગયા હતા અને પરિવારને રાહ જોવા કહ્યું હતું. ‘જ્યારે તે 20 મિનિટથી વધુ સમય પછી પણ પાછા ન આવ્યા ત્યારે અમે તેની શોધ શરૂ કરી. તેનો મોબાઇલ ફોન પણ બંધ હતો. શોધ દરમિયાન અમને એક ખુલ્લો મેનહોલ મળ્યો . જ્યારે અમે અંદર જોયું તો તેના…
Ahmedabad :ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં તોડ્યું ક્રિસમસ ટ્રી, થયો હોબાળો
નાતાલ પર્વને લઈ અનેક જગ્યાઓ પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ સાથે જ લાઇટો ગોઠવી અને નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નાતાલ પર્વ દરમિયાન પેલેડિયમ મોલમાં પણ ક્રિસમસ ટ્રી સહિતની વસ્તુઓ ગોઠવી અને ક્રિસમસ થીમથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે ભગવા સેનાના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને ડેકોરેશન કરેલ ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરવામાં આવ્યું હતું. હિદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીનો એક તરફ વિરોડ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલ ક્રિસમસ ટ્રી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરનારની અટકાયત કરવામાં આવી હતી.…
















