મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?

ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય કેન્સર છે. પરંતુ સારા સમાચાર એ છે કે સમયસર લેવામાં આવેલી HPV વેક્સિન આ રોગના જોખમને ઘણો ઓછો કરી શકે છે.

HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન કેવી રીતે કામ કરે છે?

HPV  એ એક એવો વાયરસ છે, જે સર્વાઇકલ કેન્સર માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. HPV વેક્સિન શરીરને આ વાયરસ સામે લડવાની ક્ષમતા આપે છે.

ઓન્કોલોજિસ્ટ ડૉ. જ્યોતિ વાધવાના જણાવ્યા અનુસાર, આ વેક્સિન ઇન્ફેક્શનનો ખતરો ઘટાડે છે અને પરિણામે કેન્સર થવાની શક્યતા પણ ઓછી કરે છે.

કઈ ઉંમરે લેવાય HPV વેક્સિન?

1. 9 થી 14 વર્ષની ઉંમર:
* આ ઉંમરમાં 2 ડોઝ આપવામાં આવે છે
* બંને ડોઝ વચ્ચે 6 મહિનાનો અંતર રાખવો

ઉદાહરણ: માર્ચમાં પહેલો ડોઝ તો સપ્ટેમ્બરમાં બીજો ડોઝ

2. 14 વર્ષથી વધુ ઉંમર:
* આ ઉંમરે 3 ડોઝ જરૂરી છે
*પહેલો ડોઝ પછી 1 મહિને બીજો
* ત્યારબાદ 6 મહિના પછી ત્રીજો ડોઝ

ઉદાહરણ: માર્ચ (1લો), એપ્રિલ (2જો), સપ્ટેમ્બર (3જો)

HPV વેક્સિનનો ખર્ચ કેટલો છે?

સરકારી હોસ્પિટલમાં ઘણી જગ્યાએ આ વેક્સિન મફતમાં ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં તેની કિંમત લગભગ ₹2,000 થી ₹10,000 સુધી હોઈ શકે છે. અલગઅલગ બ્રાન્ડ મુજબ ભાવમાં ફેરફાર જોવા મળે છે

HPV વેક્સિન કેમ છે જરૂરી?

સર્વાઇકલ કેન્સરથી બચાવ માટે સૌથી અસરકારક પગલું
HPV વાયરસથી થતા સંક્રમણને રોકે છે
સમયસર વેક્સિનેશન મહિલાઓના આરોગ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ
ખાસ કરીને કિશોરીઓ માટે પ્રિવેન્શન તરીકે ઉત્તમ

મહત્વપૂર્ણ સૂચના (Disclaimer):

આ લેખ માત્ર જાગૃતિ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

  • Related Posts

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…

    રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી

    નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય…