PM મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, પચપદરા રિફાઈનરીમાં આગને કારણે લોકાર્પણ સ્થગિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારે યોજાનારો રાજસ્થાન પ્રવાસ અચાનક રદ કરવામાં આવ્યો છે. બાલોતરા જિલ્લામાં આવેલી પચપદરા રિફાઈનરીમાં લાગેલી ભયંકર આગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન દ્વારા આ રિફાઈનરીનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો. આગ એટલી ભયંકર હતી કે સમગ્ર વિસ્તારમાં ઘાટો ધુમાડો છવાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડની 24થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્રણ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. હાલ પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે. સ્થળ પર સુરક્ષા એજન્સીઓ અને તંત્ર તૈનાત છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવ્યા બાદ જ આગામી કાર્યક્રમ અંગે નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પચપદરા રિફાઈનરી દેશના ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. અંદાજે ₹79,450 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ રિફાઈનરી ભારતની પ્રથમ એકીકૃત રિફાઈનરી-સહ-પેટ્રોકેમિકલ યોજના તરીકે વિકસાવવામાં આવી છે અને ભવિષ્યમાં ઊર્જા ક્ષેત્રમાં માઈલસ્ટોન સાબિત થવાની અપેક્ષા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…