ઈરાન અને Strait of Hormuz વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહેલું ભારતીય જહાજ ‘દેશ ગરિમા’ સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી ગયું છે.
આ જહાજે 18 એપ્રિલે સુરક્ષિત રીતે હોર્મુઝ જળમાર્ગ પાર કર્યો હતો અને હવે તે 22 એપ્રિલે Mumbai પહોંચવાની આશા છે. આ જહાજમાં કુલ 31 ભારતીય નાવિકો સવાર છે અને તમામ સુરક્ષિત છે. આ પહેલાં હોર્મુઝ વિસ્તારમાં ગોળીબારની ઘટનાઓને કારણે કેટલીક શિપિંગ પ્રવૃત્તિઓ પર અસર પડી હતી, જેના કારણે બે અન્ય જહાજોએ રસ્તો બદલીને પાછા ફરવાનું પસંદ કર્યું હતું.
રિપોર્ટ મુજબ, ભારતની શિપિંગ કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અત્યાર સુધી 10 જહાજોએ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલ ભરેલા બે જહાજો પર ગોળીબાર થયો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે તેઓ પાછા પર્સિયન ગલ્ફ તરફ વળ્યા છે. હાલમાં પર્સિયન ગલ્ફ વિસ્તારમાં કુલ 14 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. કેટલાક જહાજોને સુરક્ષા કારણોસર માર્ગ બદલવો પડ્યો છે.
અહેવાલો મુજબ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા પણ કેટલાક જહાજોને અટકાવવામાં આવ્યા હતા અને તેમને પાછા ફરવા સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભારત સરકારે ઈરાની રાજદૂત સાથે વાતચીત કરીને ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પોતાના નાગરિકો અને જહાજોની સુરક્ષા તેના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ વચ્ચે ઈરાનનું કહેવું છે કે હવે હોર્મુઝમાંથી પસાર થવા માટે દરેક જહાજને પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ પર તણાવ વધ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






