ગુજરાત: નવા ઈન્ચાર્જ DGP તરીકે ડૉ. કે.એલ.એન. રાવને સોંપાઈ જવાબદારી

ગુજરાત રાજ્યને નવા ઈન્ચાર્જ પોલીસ વડા મળ્યા છે. રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થતા રાજ્ય સરકાર દ્વારા ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોંધનીય છે કે વિકાસ સહાય મૂળતઃ છ મહિના પહેલા નિવૃત થવાના હતા, પરંતુ સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. તેમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલ માટે ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. ડૉ. રાવ ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારીઓમાં شمارાય છે અને તેમને વહીવટી તથા પોલીસ ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ગુજરાતના નવા ડીજીપી તરીકે અનેક…

ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી નવા ભાવ અમલમાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાડા આજ મધરાતથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના મુસાફરોને મોંઘવારીની ભેટ મળી છે. આ વધારાથી રાજ્યના અંદાજે 27 લાખ દૈનિક મુસાફરો પર વધારાનો બોજ પડશે. GSRTC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે છેલ્લા 9 મહિનામાં ભાડામાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. કેટલું ભાડું વધ્યું? – લોકલ બસમાં 9 કિમી સુધી કોઈ ભાડા વધારો નહીં – 10 થી 60 કિમીના અંતરે મુસાફરી માટે રૂ. 1નો વધારો – સરેરાશ ભાડામાં 3 ટકાનો વધારો લાગુ અગાઉ…

70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર, હાંસલ થઈ શકે છે અનોખી સિદ્ધિ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ 2006માં સુરતની લગભગ 38 ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી. ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાન એ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને 5 ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને…

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ કૃષિ વિભાગે પાક રક્ષણ માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો વિગત

ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. 01 જાન્યુઆરી-2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે. માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં: કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય. -ખાતર…

Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી

સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી, જેના લીધે ટેકનિકલ ટીમે તરત તપાસ હાથ ધરી. મૂલ્યાંકન પછી સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી, જેનાથી નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો. મુસાફરોમાં ભારે હાલાકી ફ્લાઇટમાં કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા અને અંદાજે 12 કલાક સુધી રાહ જોવાઈ. એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો. બીજું પ્લેન મોકલાયું પરિસ્થિતિને સુલજાવવા માટે એરલાઇન્સે જયપુરથી સુરત જતી બીજી ફ્લાઇટને ડાયવર્ટ કરીને સુરત મોકલી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 વાગ્યે સુરત પહોંચ્યું. તમામ…

TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે

રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી OMR આધારિત આન્સર કી ઉમેદવારો www.sebexam.org વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે. નોંધનીય છે કે અન્ય સરકારી પરીક્ષાઓમાં સામાન્ય રીતે પરીક્ષા બાદ બીજા દિવસે જ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારે TETના ઉમેદવારો લાંબા સમયથી આન્સર કી ઝડપથી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. 38 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા TET-1 પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.…

બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. આસામથી પકડાયો હતો આરોપી લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો,…

ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો

ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નવા DGPને લઈને અટકળો તેજ વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં…

સુરેન્દ્રનગરમાં પોલીસ પર છરીથી હુમલો કરતા સ્વબચાવમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મારામારીના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા PSIએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી મુજબ, દેવરાજ બોરાણા નામના આરોપીને પોલીસ દ્વારા મારામારીના કેસમાં પકડવામાં આવ્યો હતો. બાદમાં શિયાણી ગામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ આરોપીને સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અચાનક છરી કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસકર્મી ઈજાગ્રસ્ત આરોપીના હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફરજ પર હાજર PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આરોપી સારવાર હેઠળ, તપાસ ચાલુ ઘટના બાદ આરોપી દેવરાજ બોરાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે…

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના, રાજ્યને મળશે અનોખુ ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે. ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે…