PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોંગ્રેસ નેતાનો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનને લઈને વિવાદ હવે ન્યાયતંત્ર સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન. પ્રતાપને આ સંબોધન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં આદર્શ આચાર સંહિતા (MCC)ના ઉલ્લંઘનનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
17 એપ્રિલે લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ પર ચર્ચા બાદ 18 એપ્રિલે વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ, TMC, DMK અને સમાજવાદી પાર્ટી સહિત પર આકરા પ્રહારો કર્યા હતા અને મહિલા અનામત બિલના વિરોધને લઈને કટાક્ષ કર્યો હતો.

અરજદારોના આક્ષેપો
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાને સરકારી પ્લેટફોર્મ જેવા કે દૂરદર્શન અને સંસદ ટીવીનો ઉપયોગ કરીને રાજકીય નિવેદન આપ્યું, જે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. અરજદાર ટી.એન. પ્રતાપનું કહેવું છે કે આ પ્રકારનું સંબોધન ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષને અયોગ્ય લાભ આપે છે.

તેમણે આ મામલાને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(7) હેઠળ “ભ્રષ્ટ આચરણ” ગણાવવાની માંગ કરી છે. સાથે જ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતાં તેની બંધારણીય જવાબદારી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં શું માંગ છે?
અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાષ્ટ્રજોગ સંબોધનને ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન ગણાવી તેની તપાસ કરવામાં આવે અને ચૂંટણી પંચની ભૂમિકા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે.

રાજકીય ગરમાવો વધ્યો
આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે મહિલા અનામત બિલને લઈને લોકસભામાં ભારે ચર્ચા થઈ હતી. બિલને જરૂરી બહુમતી ન મળતા તે પાસ થઈ શક્યું નહોતું, જેના કારણે રાજકીય તણાવ વધ્યો હતો. આ મામલો હવે રાજકીય વિવાદમાંથી આગળ વધીને કાનૂની મંચ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર શું વલણ લે છે તે હવે મહત્વપૂર્ણ રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…