હોર્મુઝમાં તણાવ વધ્યો: Donald Trumpનો કડક આદેશ, યુદ્ધની આશંકા તેજ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં એક કડક સૈન્ય આદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે અમેરિકન નૌસેનાને સૂચના આપી છે કે Strait of Hormuzમાં દરિયાઈ માઈન્સ (સુરંગો) બિછાવતી કોઈપણ બોટને જોતા જ નિશાન બનાવી નષ્ટ કરી દેવી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા માટે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે. નાની હોય કે મોટી માઈન બિછાવતી દરેક બોટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.”

દરિયાઈ માર્ગ પર વધતી ચિંતા
Strait of Hormuz વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ટ્રાન્ઝિટ માર્ગોમાંનો એક છે. અહીંથી વૈશ્વિક ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો પસાર થાય છે. આવા સંજોગોમાં તણાવ વધતા વૈશ્વિક બજારો અને ઊર્જા સુરક્ષાને જોખમ ઊભું થયું છે. અમેરિકન નૌસેના હાલમાં આ વિસ્તારમાં માઈન્સ દૂર કરવાની કામગીરીમાં લાગી છે અને ટ્રમ્પે આ અભિયાનને ત્રણ ગણું ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.

મહિલાઓની ફાંસી મુદ્દે નવી વળાંક
ટ્રમ્પે એક અન્ય નિવેદનમાં દાવો કર્યો કે ઈરાનએ તેમની અપીલ સ્વીકારી છે અને કેટલીક મહિલા પ્રદર્શનકારીઓની ફાંસી અટકાવી છે. તેમણે જણાવ્યું કે 4 મહિલાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે, જ્યારે અન્ય 4ને ટૂંકી સજા આપવામાં આવશે. પરંતુ માનવાધિકાર સંગઠનોના જણાવ્યા મુજબ, કેટલીક મહિલાઓ પહેલેથી જ જામીન પર મુક્ત થઈ ચૂકી છે, અને બાકીની સામે ગંભીર આરોપો છે.

ઈરાનનો ઈન્કાર
ઈરાને ટ્રમ્પના તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે અમેરિકાની આ પ્રકારની નિવેદનબાજી તણાવ વધારવાનું કામ કરે છે.

શું ફરી યુદ્ધની શક્યતા?
વિશ્વ રાજનીતિના નિષ્ણાતો માને છે કે જો હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહી વધશે, તો તે મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. હાલની પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે સીધો યુદ્ધ તો નથી, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. હોર્મુઝમાં વધતો તણાવ માત્ર પ્રાદેશિક મુદ્દો નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા માટે ગંભીર ચિંતા છે. આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન કેવી રીતે આગળ વધે છે, તે પર આખી દુનિયાની નજર રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

    દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

    અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

    વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…