49 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યો: ઈરાનના નિર્ણયથી વૈશ્વિક બજારમાં રાહત

લાંબા સમયથી ચાલતા તણાવ બાદ ઈરાને અંતે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે લેબનાન-ઈઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધવિરામને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પર અસર પડી હતી. ત્યારબાદ ઈરાને આ માર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર મોટો પ્રભાવ પડ્યો હતો. હવે લગભગ 49 દિવસ બાદ આ જળમાર્ગ ફરીથી તમામ વાણિજ્યિક જહાજો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય યુદ્ધવિરામ સમયગાળાના બાકીના દિવસો માટે લાગુ રહેશે અને તમામ જહાજોને નિર્ધારિત માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે ફરીથી જહાજો માટે ખુલ્લો મુકાયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ છે, જ્યાંથી દરરોજ વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. આ માર્ગ બંધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે હવે ફરીથી ખૂલતા બજારમાં રાહત જોવા મળી રહી છે.

આ ઘટનાનો ભારત પર પણ સીધો પ્રભાવ પડ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં LPG સપ્લાયમાં અડચણ ઊભી થઈ હતી, કારણ કે ભારતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આ માર્ગે આવે છે. હવે માર્ગ ખુલતાં સપ્લાય ફરી સામાન્ય થવાની શક્યતા છે. વિશ્વભરમાં આ નિર્ણયને રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે અમેરિકો-ઈરાન તણાવ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવાની જરૂર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…