JEE મેઈન ફેઝ-2નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરીક્ષામાં કુલ 26 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવી છે, જેમાં ગુજરાતમાંથી રાજકોટના નિમય પુરોહિતે એકમાત્ર ટોપ સ્કોરર તરીકે સ્થાન મેળવ્યું છે.
નિમય પુરોહિતે ઓલ ઈન્ડિયા રેન્કમાં 16મો ક્રમ હાંસલ કર્યો છે. તે રાજકોટની એલન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે. તેના પિતા હર્ષલભાઈ અને માતા દર્શનાબેન બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. ડૉક્ટર પરિવારમાંથી હોવા છતાં નિમયે એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે અને નાની વયથી જ ગણિત પ્રત્યે તેની ખાસ રુચિ રહી છે.
નિમયે જણાવ્યું હતું કે છઠ્ઠા ધોરણથી જ તેને મેથ્સ વિષય ખૂબ ગમતો હતો અને ત્યારથી જ તેણે એન્જિનિયરિંગ તરફ કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. હાલ તે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યો છે અને મુંબઈ IITમાં અભ્યાસ કરવાનો તેનો લક્ષ્ય છે.
દેશભરમાં 26 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશના પાંચ-પાંચ, રાજસ્થાનના ચાર, દિલ્હીથી ત્રણ, મહારાષ્ટ્ર અને હરિયાણાથી બે-બે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી એક-એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
અન્ય તરફ, સુરતના વિદ્યાર્થી શૌર્ય ખેમકાએ પણ ઉત્તમ પ્રદર્શન કરીને ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો છે. તેણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ 13થી 14 કલાક સુધી અભ્યાસ કરીને આ સફળતા હાંસલ કરી છે. તેના જણાવ્યા મુજબ, શિક્ષકોના માર્ગદર્શન અને સતત રિવિઝન તેના સફળતાના મુખ્ય કારણ રહ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





