કોણીની કાળાશ દૂર કરવા અપનાવો 2 સરળ ઘરેલુ ઉપાય, અજમાવો આ ખાસ ટિપ્સ

ગરમીની શરૂઆત સાથે સ્કિન ટેનિંગની સમસ્યા વધી જાય છે, જેમાં કોણીની કાળાશ પણ એક સામાન્ય ચિંતા બની જાય છે. કોણીની ત્વચા જાડી હોવાને કારણે અને તેમાં તેલ ગ્રંથિઓ ઓછી હોવાથી અહીં ડેડ સ્કિન ઝડપથી જમા થાય છે, જે કાળાશનું મુખ્ય કારણ બને છે.

ઘણા લોકો મોંઘા ક્રીમ અને પાર્લર ટ્રીટમેન્ટ પર ખર્ચ કરે છે, છતાં યોગ્ય પરિણામ મળતા નથી. પરંતુ કેટલીક સરળ ઘરેલુ વસ્તુઓથી પણ કોણીની કાળાશ દૂર કરી શકાય છે.

લીંબુ અને બેકિંગ સોડાનો ઉપાય
લીંબુ કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જ્યારે બેકિંગ સોડા ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. અડધું લીંબુ લઈને તેના પર થોડું બેકિંગ સોડા છાંટી કોણી પર હળવા હાથે 5થી 7 મિનિટ સુધી ઘસવું. ત્યારબાદ તેને 10 મિનિટ રહેવા દઈને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી કાળાશ ધીમે ધીમે ઓછી થઈ શકે છે.

નારિયેળ તેલ અને ખાંડનો સ્ક્રબ
આ ઉપાય ડ્રાય અને કાળી કોણી માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. એક ચમચી નારિયેળ તેલમાં એક ચમચી ખાંડ મિક્સ કરીને કોણી પર 3થી 4 મિનિટ સુધી હળવો સ્ક્રબ કરવો. ત્યારબાદ ધોઈને સાફ કરી લેવું. ખાંડ ડેડ સ્કિન દૂર કરે છે, જ્યારે નારિયેળ તેલ ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

વધુ સારા પરિણામ માટે નિયમિત મોઇશ્ચરાઇઝિંગ કરવું, બહાર જતા સમયે સનસ્ક્રીન લગાવવું અને લાંબા સમય સુધી કોણી પર ટેકો ન આપવો જરૂરી છે. આ સરળ ટિપ્સ અપનાવવાથી કોણીની કાળાશ ઘટાડવામાં મદદ મળી શકે છે.

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

‘નારી શક્તિ વંદન અધિનિયમ’ : 454 સામે 2 મતથી પસાર થયેલા ઐતિહાસિક બિલની સફર

ભારતીય લોકશાહી ઇતિહાસમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવતું ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ દાયકાઓની ચર્ચા, વિરોધ અને સુધારાઓ પછી એક ઐતિહાસિક મતદાન સાથે પસાર થયું. લોકસભામાં આ બિલને 454 મતના ભારે સમર્થન…

દિલ્હી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર: સ્પાઈસજેટ અને અકાસા એર ઘટનામાં મોટી જાનહાનિ ટળી

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 16 એપ્રિલ 2026ના રોજ સ્પાઈસજેટ અને અકાસા એરનાં બે વિમાનો વચ્ચે ટેક્સિંગ દરમિયાન ટક્કર થઈ હતી. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ બંને…