આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપીને લાખો મતદારોના મતાધિકારનું રક્ષણ કર્યું છે. SIR (Special Intensive Revision) મામલે સુનાવણી દરમિયાન કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે, જેથી કોઈ પણ લાયક મતદાર પોતાના લોકશાહી અધિકારથી વંચિત ન રહે.
માહિતી મુજબ, મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા અને વાંધાઓ સંબંધિત 34 લાખથી વધુ અપીલો પેન્ડિંગ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 19 સ્પેશિયલ એપેલેટ ટ્રિબ્યુનલને નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે.
કોર્ટના આદેશ મુજબ, 21 એપ્રિલ સુધીમાં જેમની અપીલોનો નિર્ણય થશે તેઓ 23 એપ્રિલે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. તેવી જ રીતે, 27 એપ્રિલ સુધીમાં અપીલો પર નિર્ણય લેનાર મતદારોને 29 એપ્રિલે બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળશે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આવા મતદારો માટે પૂરક મતદાર યાદી જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ યાદીમાં સમાવિષ્ટ નામ ધરાવતા લોકો જ સંબંધિત તબક્કામાં મતદાન માટે પાત્ર ગણાશે.
આ ચુકાદા બાદ પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને, આ નિર્ણય લાખો મતદારો માટે રાહતરૂપ બન્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને અંતે ન્યાય મળ્યો છે. તેમણે તમામ સંબંધિત પક્ષોને સમયસર પૂરક મતદાર યાદી જાહેર કરવાની અપીલ પણ કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





