ઈટાલીના ઉત્તર ભાગમાં આવેલ બર્ગામો પ્રાંતમાં બૈસાખી તહેવાર દરમિયાન ભયાનક ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં બે ભારતીય નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
માહિતી મુજબ, ઘટના ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની બહાર બની હતી, જ્યાં લોકો બૈસાખી ઉજવવા માટે ભેગા થયા હતા. શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરે અચાનક આવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.
હુમલામાં 48 વર્ષીય રાગિન્દર સિંહ અને 48 વર્ષીય ગુરમીત સિંહના મોત થયા છે. રાગિન્દર સિંહ કોવોના રહેવાસી હતા, જ્યારે ગુરમીત સિંહ અગ્નાડેલોમાં રહેતા હતા. બંને ગુરુદ્વારામાંથી બહાર નીકળતા હતા ત્યારે આ હુમલો થયો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હુમલાખોર ઘટનાસ્થળે આવીને ગોળીબાર કર્યા બાદ પોતાની કારમાં બેસીને ફરાર થઈ ગયો. પોલીસે સ્થળ પરથી આશરે 10 ખાલી કારતૂસ જપ્ત કર્યા છે, જેના પરથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયાનું અનુમાન છે.
પ્રારંભિક તપાસમાં આ ઘટના કોઈ અચાનક થયેલી લડાઈ નહીં પરંતુ પૂર્વનિયોજિત હુમલો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક નજરે જોનારના જણાવ્યા અનુસાર, હુમલાખોર પણ ભારતીય મૂળનો હોઈ શકે છે અને તે ગુરુદ્વારામાં આવતો-જતો હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





