દુનિયા યુદ્ધમાં વ્યસ્ત, ચીનની ગુપ્ત ચાલ: 1626 ટન ચાંદીની ખરીદીથી બજારમાં ચિંતા વધતી

જ્યારે વિશ્વ મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને સંભવિત યુદ્ધની પરિસ્થિતિઓમાં વ્યસ્ત છે, ત્યારે ચીને શાંતિથી એક મોટી આર્થિક ચાલ ચાલી છે. તાજેતરના અહેવાલો અનુસાર, ચીને 2026ના પ્રથમ ત્રણ મહિનામાં કુલ 1626 ટન ચાંદીની ખરીદી કરી છે, જે વૈશ્વિક બજારોમાં ચિંતા વધારનાર બાબત બની છે.

એક જ મહિનામાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો
માત્ર માર્ચ 2026માં જ ચીને 836 ટન ચાંદી આયાત કરી, જે એક દાયકામાં સૌથી મોટી માસિક ખરીદી ગણાઈ રહી છે. ખાસ કરીને એક જ મહિનામાં 78 ટકા જેટલો ઉછાળો નોંધાતા વિશ્વભરના નિષ્ણાતો આશ્ચર્યમાં મુકાયા છે.

ચીન ચાંદી કેમ ખરીદી રહ્યું છે?
સોનાના ભાવમાં સતત તેજી બાદ રોકાણકારો હવે ચાંદી તરફ વળી રહ્યા છે. ચાંદી હાલમાં તુલનાત્મક રીતે સસ્તું અને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ તેની માંગ વધી રહી છે. ચીનમાં ખાસ કરીને સોલાર એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. સોલાર પેનલના ઉત્પાદન માટે ચાંદી મહત્વપૂર્ણ ઘટક છે, જેના કારણે કંપનીઓ મોટા પ્રમાણમાં સ્ટોક એકત્રિત કરી રહી છે.

સપ્લાય ચેઇનની ભીતિ પણ કારણ
વર્તમાન વૈશ્વિક તણાવને કારણે સપ્લાય ચેઇનમાં ખલેલ પડે તેવી ભીતિ વચ્ચે ચીન ભવિષ્ય માટે કાચો માલ સંગ્રહ કરી રહ્યું છે. આ એક પ્રકારની સ્ટ્રેટેજિક તૈયારી માનવામાં આવી રહી છે.

ભારત પર શું પડશે અસર?
ચીનની આ મોટી ખરીદીથી વૈશ્વિક બજારમાં ચાંદીની માંગ વધી રહી છે, જ્યારે ઉત્પાદન એટલી ઝડપથી નથી વધી રહ્યું. આથી ડિમાન્ડ-સપ્લાય ગેપ સર્જાઈ રહ્યો છે, જેના કારણે ભાવમાં વધારો થવાની શક્યતા છે.

ભારતમાં પહેલાથી જ ચાંદીના ભાવ ઊંચા સ્તરે છે અને હાલ પ્રતિ કિલો ભાવ રૂ. 2.5 લાખને પાર પહોંચી ગયો છે. જો વૈશ્વિક સ્તરે ભાવ વધશે તો તેનો સીધો પ્રભાવ ભારતીય બજાર પર પણ પડશે અને ચાંદી વધુ મોંઘી થઈ શકે છે. ચીનની આ ‘ગુપ્ત’ ખરીદી માત્ર એક વેપારિક નિર્ણય નથી, પરંતુ વૈશ્વિક આર્થિક અને ઔદ્યોગિક વ્યૂહરચનાનો ભાગ પણ હોઈ શકે છે. આવનારા સમયમાં ચાંદીના ભાવ અને તેની ઉપલબ્ધતા પર તેની અસર નજરે પડી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ટ્રમ્પે ‘સીઝ-ફાયર’ની સમયમર્યાદા કેમ જાહેર ન કરી? વ્યૂહરચના કે મજબૂરી?

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાન સાથેનો યુદ્ધવિરામ અનિશ્ચિત મુદત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ ‘સીઝ-ફાયર’ કેટલો સમય ચાલશે તેની કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવી…

તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 1000 કરોડથી વધુની જપ્તી

દેશના બે મહત્વપૂર્ણ રાજ્યો તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની સામગ્રી જપ્ત કરી છે. આ આંકડો…