રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ, જાણો રાજ્યમાં કેટલા સ્ટાર્ટઅપ્સ છે અમલી

ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@2047”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી.…

CM ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – 2026’નો કરાવ્યો પ્રારંભ, વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત

ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને. વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-2026ની ઉજવણી કરાવી હતી.…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં સહભાગી થયા, સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી…

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ, જાણો વિશેષતા

ઉત્તરકાશી સ્થિત આશરે 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે. આ પવિત્ર કાર્ય આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આયોજન ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાથી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના કરકમલે આગામી 17 જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી 21 જાન્યુઆરી સુધી બપોરે 3.00 થી સાંજે 8.00 વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે…

અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાળકોને તાલીમ આપવાની કામગીરીને બિરદાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતેની પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાની મુલાકાત લઈ, શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાની કામગીરીને ઉત્તમ સેવા સાથે સરખાવી હતી. મુખ્યમંત્રી ઉતરાયણ પર્વ પૂર્વે મંગળવારે સવારે બોડકદેવની આ મનોદિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. તેમણે સ્નેહસભર વડીલ વાત્સલ્ય ભાવથી મનોદિવ્યાંગ બાળકોને મિઠાઈ વિતરણ કરીને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મનોદિવ્યાંગ બાળકોએ પણ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને રોજિંદા અને સામાજિક કાર્યો કરવાની તાલીમ આપવાની સંસ્થાની કામગીરીની પણ સરાહના કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી ડૉ. સુજાતાબેન શાહે સંસ્થાની વિવિધ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે સંસ્થાની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1500 કરતાં વધુ બાળકોએ આ શાળામાં અભ્યાસ કર્યો છે તેમજ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૉટર બર્ડ્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી. સિંઘે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન…

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વર્ષના ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. અંબાલાલ પટેલની આગાહી: – પવનની ઝડપ સામાન્ય રીતે 6 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. – ઉત્તર ગુજરાતમાં પવન નરમ, 6 થી 9 કિ.મી/કલાક રહેશે. – કચ્છ, દરિયાકાંઠા અને સુરત વિસ્તારમાં પવન થોડી વધારે તીવ્રતા ધરાવશે. – દિવસ અને સાંજ દરમિયાન પવન અનુકૂળ રહેશે, જે પતંગ ઉત્સાહીઓ માટે આદર્શ રહેશે. – 15 જાન્યુઆરીના દિવસે પવનમાં થોડી વધઘટ જોવા મળી શકે, પરંતુ આ બે દિવસ પતંગ ચગાવનારા માટે આનંદદાયક…

સુરતના ફેન અંકિતે વિરાટ કોહલી માટે બનાવ્યું રૂ. 15 લાખનું સોનાનું મોબાઇલ બેક કવર

ક્રિકેટ જગતમાં ‘કિંગ’ તરીકે ઓળખાતા વિરાટ કોહલીના ચાહકો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેમના કેટલાક ચાહકો એવા હોય છે, જે પોતાના અનોખા કાર્યો દ્વારા સૌનું ધ્યાન ખેંચે છે. આવી જ કથા સામે આવી છે સુરતના યુવાન અંકિત પટેલની, જેમણે વિરાટ કોહલી માટે એક અદ્ભુત અને મોંઘી ભેટ તૈયાર કરી છે. સોનાની મોંઘી ગિફ્ટ અંકિતે વિરાટ કોહલી માટે ખાસ રૂ. 15 લાખના ખર્ચે મોબાઇલ બેક કવર બનાવ્યું છે. આ કવર બનાવવામાં 15 તોલા સોનાનો ઉપયોગ થયો છે અને વિરાટ કોહલીનું નામ કવર પર ડાયમંડ (હીરા) થી લખાયું છે. તૈયાર કરવાની પ્રક્રિયા અંકિતે જણાવ્યું કે, કવર બનાવવું સરળ ન હતું. સુરતના અનેક જ્વેલર્સ પાસે ગયા, પરંતુ ઘણાએ આ કામ કરવાની ના પાડી. છેલ્લે 6 મહિનાની મહેનત અને ધીરજ પછી આ…

126 બેંક ખાતાઓ મારફતે 460 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે 126 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગુજરાત સહિત દેશના 27 રાજ્યોમાં 460 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. નકલી એપ અને વોટ્સએપ ગ્રુપથી ફસાવાતા રોકાણકારો અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વોટ્સએપ મારફતે લોકોને સંપર્ક કરી પોતાને રજિસ્ટર્ડ બ્રોકર કંપનીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. બાદમાં ભોગ બનનારાઓને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાતી હતી. આ એપ મારફતે: રજીસ્ટ્રેશન, લોગિન અને વેરિફિકેશન કરાવવામાં આવતુ શેર ટ્રેડિંગ માટે વિવિધ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવાતાં વોલેટમાં ખોટો, જંગી નફો બતાવવામાં…