Ahmedabad : વસ્ત્રાપુર હાટ ખાતે ‘ક્રાફ્ટરૂટ’ પ્રદર્શનનું રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે ભવ્ય ઉદઘાટન, કારીગરોની મહેનતને બિરદાવી
અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિમાં ક્રાફ્ટરૂટ સંસ્થાના દેશભરમાંથી આવેલા કારીગરોની કૃતિઓના પ્રદર્શનનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ દર્શનાબેન વાઘેલાએ અમદાવાદ હાટમાં ક્રાફ્ટરૂટ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનારબહેન પટેલે વર્ષોથી હસ્તકલા અને કારીગરોની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને તેમના પ્રયત્નોથી જ આજે ક્રાફ્ટરૂટ સંસ્થા દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી છે. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના વારસાને આગળ ધપાવવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી. કારીગરોની મહેનતને બિરદાવી મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કારીગરોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત ચિંતિત છે, જેના ભાગરૂપે જ દેશભરમાં ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવે છે જેથી સ્થાનિક કલાને પ્રોત્સાહન મળે. તેમણે…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી
ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ અને ધારાસભ્યઓના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આઇકોનિક અટલબ્રિજની મુલાકાત લીધી હતી. ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો, નૃત્ય શૈલીઓ, બાળકોનું ભારત, શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. વિશેષ કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર ખાસ કરીને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર આધારિત સ્કલ્પચર અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ‘દિવાળી’ પર તૈયાર કરાયેલી વિશેષ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર…
રાજ્યમાં ફરી માવઠાનો ખતરો: 22 થી 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની શક્યતા
ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, અને આ વચ્ચે માવઠાની આગાહી ખેડૂતોમાં ચિંતાનું કારણ બની છે. ગુજરાતમાં વરસાદની શક્યતાઓ – સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. – રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ અને ભેજવાળા પવનની શક્યતા દર્શાવી છે. – ડિસેમ્બર મહિનામાં વરસેલા માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું, અને ફરી વરસાદ પડવાને કારણે ઘઉં સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. ઉત્તર ભારત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હાલ તીવ્ર ઠંડી છવાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન…
ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું
ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન કેશોદ – 8.1°C કંડલા એરપોર્ટ – 8.6°C નલિયા – 9.2°C અમરેલી – 9.4°C દીવ – 10.3°C ડીસા – 11°C ભુજ – 12.4°C મહુવા – 12.5°C પોરબંદર – 13.6°C અમદાવાદ – 14.5°C વેરાવળ – 14.5°C ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીના નવા રેકોર્ડ ઉત્તર ભારતમાં ઠંડી સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. અનેક પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાન વિસ્તારોમાં ગાઢ…
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 દિવસ ચાલશે, જાણો બેઠકોની વિગત
ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રની અવધિ અને બેઠકો ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે. સત્રનું મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે. ચર્ચા અને નાણાકીય કામકાજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા…
ગુજરાતનું ગૌરવ: સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) માં બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયા
અમદાવાદ/ ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ફરી એકવાર ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC-NEW DELHI) ની ‘પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી’ (PACS) વિભાગની દેશભરની એકમાત્ર બેઠક પર તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ સહકારિતા અધ્યક્ષ બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજી વખત બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. સમગ્ર ભારતની આ એકમાત્ર સીટ પર બિપીનભાઈની બિનહરીફ વરણી તેમની કાર્યક્ષમતા અને સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત પકડ દર્શાવે છે.રાષ્ટ્રીય સ્તરની આ મહત્વની સંસ્થામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેતા સહકારી આગેવાનોમાં ખુશીનો માહોલ છે. સતત બીજી વખત આ જવાબદારી મળવા બદલ રાજ્યના સહકારી અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.બિપીનભાઈ પટેલના અનુભવનો લાભ આગામી સમયમાં દેશના ખેડૂતો અને વેરહાઉસિંગ…
GSSSB ભરતી 2026: માર્ગ અને મકાન વિભાગમાં 388 જગ્યાઓ માટે ભરતી જાહેર, 16 જાન્યુઆરીથી અરજી શરૂ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-3ની મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 388 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની 336 જગ્યાઓ અને રેખનકાર (ડ્રાફ્ટસમેન) વર્ગ-3ની 52 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરવાની તારીખ લાયક ઉમેદવારો 16 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) GSSSBની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. – અરજી કરવા માટેની વેબસાઇટ: ojas.gujarat.gov.in ભરતીની વિગત સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ: માર્ગ અને મકાન વિભાગ વર્ગ: વર્ગ-3 કુલ જગ્યા: 388 વર્ક આસિસ્ટન્ટ: 336 રેખનકાર (ડ્રાફ્ટસમેન): 52 જાહેરાત ક્રમાંક: 355/2025-26 આ ભરતી અંતર્ગત અધિક્ષક ઈજનેર તથા સંયુક્ત નિયામકના નિયંત્રણ હેઠળ આવતી વિવિધ…
જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ, જાણો વિશેષતા
છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો. COVID-19 મહામારી દરમિયાન, દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી. COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ – 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે. ક્રિમિયન-કોન્ગો હેમરેજિક ફીવર (CCHF),લમ્પી, ચાંદીપુરા અને નિપાહ જેવા વાયરસના ખતરાને જોતા, અત્યંત જોખમી વાયરસ પર સંશોધન કરવા…
રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ, જાણો રાજ્યમાં કેટલા સ્ટાર્ટઅપ્સ છે અમલી
ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@2047”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી.…
















