PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી India-AI ઈમ્પેક્ટ સમિટ માટે તૈયારી, AIમાં વ્યૂહાત્મક સહયોગ વધારવો અને ભારતના AI મિશનના લક્ષ્યોને ઝડપી રીતે આગળ વધારવો હતો. નવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર બેઠક દરમિયાન CEOsએ ભારતને વૈશ્વિક સ્તરે AIમાં મોખરે મૂકવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ નવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવાની અને તે દેશના વિકાસ માટે અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું પણ આહ્વાન કર્યું. PM મોદીની અપીલ વડાપ્રધાએ તમામ વ્યક્તિઓ અને કંપનીઓને સમિટનો સંપૂર્ણ લાભ લેવા, નવી…

ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાન ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી. બેઠકમાં બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ. મુખ્ય મુદ્દાઓ: – ઉર્જા ક્ષેત્ર: યુએઈ દર વર્ષે ભારતને 5 લાખ મેટ્રિક ટન LNG પૂરૂં પાડશે, પરમાણુ ઊર્જા, મોટાં અને નાના રિએક્ટર ક્ષેત્રે સહયોગ. -ટેકનોલોજી અને ડેટા: ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે રોકાણ; AI અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવું. – અવકાશ ક્ષેત્ર: લોન્ચ પેડ્સ, ઉપગ્રહ ઉત્પાદન અને સંયુક્ત મિશન. – ગુજરાતમાં ખાસ પ્રોજેક્ટ્સ: ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બંદર, સ્માર્ટ સિટી અને…

PM મોદી: Zen-G યુવાનો રિસ્ક લેતાં પાછળ ન હટતા, સરકાર તમારી સાથે છે

12 જાન્યુઆરીએ ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી. પીએમ મોદીએ કહ્યું કે યુવાનોના ઉત્સાહ અને ઊર્જા ભારતની શક્તિ બનશે, અને Zen-G યુવાનો રિસ્ક લેતાં પાછળ નહીં હટે, કારણ કે સરકાર તેમના સાથે છે. યુવાનોમાં રાષ્ટ્રની ભાવના જરૂરી પીએમ મોદીએ યુવાનોને આવાહન આપ્યું કે પહેલા રાષ્ટ્રની ભાવના તેમના અંતરમાં હોવી જોઈએ. તેમણે કહ્યું, “તમારી સફળતા દેશને ઉન્નત બનાવશે, અને તમારી ઊર્જામાંથી સમગ્ર યુવા વર્ગને પ્રેરણા મળશે.” સ્વામી વિવેકાનંદ: યુવાનો માટે માર્ગદર્શક પીએમ મોદીએ નોંધ્યું કે આ દિવસે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. સ્વામી વિવેકાનંદનું જીવન યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમનો અભિપ્રાય, “આપણા જીવનને રાષ્ટ્રની ભાવના સાથે જીવવું અને દરેક પ્રયાસથી સમાજ અને દેશને ફાયદો પહોંચાડવો,” આજે પણ…

બેબી અરિહા શાહ: PM મોદીએ જર્મની ચાન્સેલર સાથે કરી વાત, જાણો સમગ્ર મામલો

જર્મનીમાં ભારતીય પરિવાર સાથે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 7 વર્ષીય બાળકી અરિહા શાહ હાલમાં જર્મન પાલક સંભાળ હેઠળ ઉછરી રહી છે. બાળકીના માતા-પિતાએ ન્યાય મેળવવા માટે ભારતમાં અનેક સ્થળોએ માંગણી કરી છે. મામલો એટલો ગંભીર બન્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જર્મની ચાન્સેલર ફ્રેડરિઝ મેર્ઝ સાથે વાતચીત કરી છે. ઉપરાંત, ભારતનું વિદેશ મંત્રાલય તમામ કાનૂની અને માનવતાવાદી પ્રયાસો હાથ ધર્યું છે. શું છે સમગ્ર મામલો? સપ્ટેમ્બર 2021માં, જ્યારે અરિહા માત્ર 7 મહિનાની હતી, ત્યારે તેને દાદી દૂધ પીવડાવી રહ્યા હતા. આ દરમિયાન બાળકીને ઈજા પહોંચી હતી. ડાયપર બદલતી વખતે માતાએ લોહી જોયું, જેને કારણે માતાપિતા ચિંતિત થઈ ગયા. બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોને શંકા વ્યક્ત થઈ કે બાળકી પર શોષણ થયો…

PM મોદી આવશે અમદાવાદ: જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બનશે અને જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે અને આશ્રમમાં અંદાજે 25 મિનિટ સુધી રોકાશે. આ મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2026 ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગોત્સવ સ્થળ સુધી વિશેષ હોર્ડિંગ્સ અને સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સવારે 8.30 વાગ્યે આશ્રમ પહોંચશે, ત્યારબાદ 10 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન અને 11.15 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેના સહકાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી જર્મનીના ડેલિગેટ્સ સાથે લંચ કરશે અને ત્યારબાદ 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થશે. 2014 પછી વડાપ્રધાન મોદીએ અત્યાર…

PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી શરૂ થઈ ગઈ છે. 5.36 કિમીનો નવો મેટ્રો રૂટ આ નવો મેટ્રો રૂટ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી કુલ 5.36 કિમી લાંબો છે. આ રૂટ શરૂ થતા ગાંધીનગરના મહત્વના વિસ્તારો હવે મેટ્રો અને રેલવે નેટવર્ક સાથે સીધા જોડાઈ ગયા છે. નવા રૂટમાં આવતાં મેટ્રો સ્ટેશનોમાં સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે મુસાફરો મેટ્રો દ્વારા સીધા ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે.…

PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા…

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026: PM મોદી ૧૨ જાન્યુઆરીએ કરાવશે પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ

ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. 50 દેશોના 135 પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે. વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે ૨૫ હસ્તકલા સ્ટોલ…

અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…

PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…