2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા…
શેખ હસીનાની મુશ્કેલીમાં ફરી થયો વધારો, ઢાકા કોર્ટે જમીન કૌભાંડ કેસમાં…
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઢાકાની એક ખાસ કોર્ટે સોમવારે હસીના, તેમની બહેન શેખ રેહાના અને રેહાનાની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને પૂર્વાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (RAJUK) દ્વારા પ્લોટ ફાળવણીમાં અનિયમિતતાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, હસીનાએ વડા પ્રધાન તરીકે સેવા આપતી વખતે રાજ્યના અધિકારનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્લોટ મેળવ્યા હતા. ACC અનુસાર, હસીનાએ રાજુકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને, ઢાકા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (જમીન ફાળવણી) નિયમો, 1969નું ઉલ્લંઘન કરીને, પૂર્વાચલમાં સેક્ટર 27 ના ડિપ્લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે છ પ્લોટ ફાળવ્યા હતા. આમાં હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોય, પુત્રી સાયમા વાઝેદ પુતુલ, બહેન રેહાના અને રેહાનાની પુત્રી ટ્યૂલિપ રિઝવાના મુજીબ સિદ્દીકનો…
કિરણ બેદીએ પીએમ મોદીની માફી કેમ માંગી? દિલ્હીમાં AQI મામલે જાણો શું કહ્યું
ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી કિરણ બેદીએ દિલ્હીમાં વધતી જતી વાયુ પ્રદૂષણની પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. બેદીએ તેમના ‘મન કી બાત’ સંબોધન દરમિયાન વડા પ્રધાનને આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી અને વડાપ્રધાનની માફી પણ માંગી. કિરણ બેદીનો સંદેશ એવા દિવસે આવ્યો જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં એકંદરે AQI 369 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. કિરણ બેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના “મન કી બાત” સંબોધન દરમિયાન આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી. બેદીએ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે પીએમ મોદીના અસરકારક ઝૂમ સત્રોનો પણ ઉલ્લેખ કર્યો. બેદીના ટ્વીટમાં લખ્યું હતું કે, “સાહેબ, કૃપા કરીને મને આ વિનંતી વારંવાર કરવા બદલ માફ કરો. પરંતુ…
BLO પર કામનું ભારણ,મોતનું કારણ ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
મહેસાણામાં BLO નું હાર્ટ-એટેકથી મોત દીવસે સર્વર કામ ન કરતાં રાત્રે કરવી પડી SIRની કામગીરી આચાર્ય રાત્રે 2 વાગ્યે કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા મૃતક દિનેશ રાવળે SIRની કામગીરી લગભગ 70% જેટલી પૂરી કરી હતી. મૃતક સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા રાજ્યમાં 10 દિવસમાં 5 BLO કર્મચારીના મોત SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો મોડીરાત સુધી મહેનત કરવા છતાં, અધિકારીઓ ત્રાસ આપે – BLO Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત આવેલ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની મોટી જાહેરાત, હાઇવે માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે. નિતીન ગડકરીએ કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે. 20 હજાર કરોડની મળશે કેન્દ્રમાંથી સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ…
રામ મંદિરમાં ધ્વજારોહણ બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત પણ PM મોદી સાથે હાજર હતા. ધર્મધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે, અયોધ્યા શહેર ભારતના સાંસ્કૃતિક જાગૃતિના વધુ એક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. આજે, આખું ભારત, આખું વિશ્વ, રામની ભાવનાથી ભરેલું છે. આજે, રામના ભક્તોના હૃદયમાં અનંત આનંદ છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત સિયાવર રામચંદ્રના મંત્રથી કરી. આજે આખું ભારત, આખું વિશ્વ રામથી ભરેલું છે. સદીઓના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓના દુ:ખને શાંતિ મળી રહી છે. સદીઓના સંકલ્પ સફળતા મેળવી રહ્યા છે. આજે મંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તેનો ભગવો રંગ, સૂર્યનું પ્રતીક અને કોવિદર વૃક્ષ રામ રાજ્યનો મહિમા…
કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી
ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…
જામનગરમાં પણ અમદાવાદ જેવો ખ્યાતિ ખાંડ ? આ હોસ્પિટલ પર સરકારે કરી કાર્યવાહી
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા…
બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી
હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત
આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો…
















