2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં 93.14 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
 જિલ્લો ટકાવારી
ડાંગ- 93.14
ગીરસોમનાથ- 88.91
બનાસકાંઠા- 88.42
સાબરકાંઠા- 88.32
મોરબી- 88.00
મહીસાગર- 87.98
છોટા ઉદેપુર- 87.61
પંચમહાલ- 87.02
પાટણ- 86.56
સુરેન્દ્રનગર- 86.44

15.58 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગરમી અને દુષ્કાળથી જર્મનીની રાઈન નદીમાં પાણી ઘટ્યું, અર્થતંત્ર સામે મોટો ખતરો

યુરોપમાં ચાલી રહેલી તીવ્ર ગરમી અને લાંબા સમયથી પડેલા વરસાદના અભાવે જર્મનીની રાઈન નદીમાં પાણીનું સ્તર ઐતિહાસિક રીતે નીચું પહોંચી ગયું છે. જર્મનીના આંતરિક જળમાર્ગો માટે રાઈન સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. અહીં પાણી ઘટતાં માલવાહક જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં જહાજોની સફર રોકવી પડી રહી છે. જર્મન ઇનલેન્ડ નેવિગેશન એજન્સી અનુસાર, 14 ઓગસ્ટ સુધીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને જે જહાજો હજુ પણ ચાલી રહ્યાં છે તેમાંથી મોટા ભાગને સંપૂર્ણ ભાર સાથે ચલાવવું શક્ય નથી. પરિણામે રાઈન મારફતે જતો માલ હવે રોડ પરિવહન તરફ વાળવામાં આવી રહ્યો છે. રાઈન કેમ છે જર્મની માટે આટલી મહત્વની? રાઈન નદી જર્મનીના ઔદ્યોગિક વિસ્તારોને ઉત્તર યુરોપના મોટા બંદરો સાથે જોડે છે. કોલસો,…

બલુચિસ્તાનમાં હવાઈ હુમલાના દાવા વચ્ચે ટ્રમ્પની ચુપકીદી પર સવાલ, F-16ના ઉપયોગ અંગે વિવાદ

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા અભિયાન અને હિંસાની ઘટનાઓ વચ્ચે હવે અમેરિકન હથિયારોના ઉપયોગને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાની સેનાએ બલુચિસ્તાનમાં કરેલી કાર્યવાહી દરમિયાન અમેરિકન બનાવટના F-16 વિમાનોનો ઉપયોગ કર્યો હોવાના દાવાઓ સોશિયલ મીડિયા અને કેટલાક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, આવા દાવાઓ અંગે સ્વતંત્ર અને વિશ્વસનીય પુષ્ટિ મર્યાદિત છે, તેથી તેને નિશ્ચિત હકીકત તરીકે રજૂ કરવી યોગ્ય નથી. 12 ઓગસ્ટે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન 10 સશસ્ત્ર લડવૈયાઓ માર્યા ગયા હોવાનો પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો. એ જ દિવસે સુરાબ જિલ્લામાં કાર બોમ્બ સમય પહેલાં ફાટી જતાં ત્રણ નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા હતા. પાકિસ્તાની સેનાએ આ વિસ્તારની હિંસાને બલુચ અલગાવવાદી સંગઠનો સાથે જોડીને કાર્યવાહી કરી હોવાનું…