ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…

દીવ: EVM મશીનો પોલીંગ બુથ પર રવાના, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો મળી હતી, જ્યારે બુચરવાડા અને જોલાવાડી ગ્રામ પંચાયતોમાં સરપંચો અને 8 વોર્ડના સભ્યો ભાજપના ઉમેદવારો બીન હરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમયે સર્ટિફિકેટ દીવ કલેકટર અને ચૂંટણી અધિકારીના હાથે આપવામાં આવ્યા હતા. આ વખતે જીલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નં. 2, 3 અને 6 માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી મુકાબલો થશે. દીવ કલેકટરના જણાવ્યા અનુસાર, ટોટલ 14 પોલીંગ સ્ટેશનો પર 90 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન સુવિધા માટે મુકાશે. સુરક્ષા માટે દીવથી 50 પોલીસ અધિકારીઓ અને ગુજરાતના ગીર સોમનાથથી 150 મહિલા પોલીસ કર્મીઓની ફરજ રહેશે. પોલિંગ દરમ્યાન બે સેકટરો વણાંકબારામાં 10…

ગાંધીનગરની નિશા પટેલને “ધ સ્કિન એક્સપર્ટ ઓફ ઈન્ડિયા 2025” માં દેશભરમાં બીજું સ્થાન

ગુજરાતની ગૌરવરૂપ મહિલા ઉદ્યોગસાહસિક નિશા પટેલે “ધ સ્કિન એક્સપર્ટ ઓફ ઈન્ડિયા 2025” સ્પર્ધામાં દેશભરમાં બીજું સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ગ્રાન્ડ ફિનાલે મુંબઈના JW મેરિયટ હોટેલ ખાતે રાગા પ્રોફેશનલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના 1000થી વધુ પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ કરાયેલા 12 ફાઇનલિસ્ટ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ હતી. નિશા પટેલની સિદ્ધિ નિશા પટેલ ‘ઇડન ધ સેલૂન’ અને **‘ઇડન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ’**ની સ્થાપક છે. તેમણે સ્કિનકેર અને બ્યુટી ક્ષેત્રે પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. તેમને ટ્રોફી, સર્ટિફિકેટ, રાગા પ્રોડક્ટ કિટ અને થાઇલેન્ડ ટ્રિપથી સન્માનિત કરવામાં આવી હતી. નિશા પટેલ પાટણ જિલ્લાના ઈસ્લામપુરા ગામના વતની અને વિશાલ પટેલ (રામનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ની ધર્મપત્ની છે. તેમની આ સિદ્ધિ માત્ર ગાંધીનગર માટે નહીં પરંતુ આખા ગુજરાત માટે ગૌરવનો ક્ષણ છે.…

મહીસાગર ખાતે ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025નું આયોજન, અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સલમાન મોરાવાલા, સંતરામપુર / મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025 નો ભવ્ય શુભારંભ તા. 03 નવેમ્બર, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે મોટી સરસણની યુ. આર. પટેલ વિદ્યાલય ખાતે યોજાયો. કાર્યક્રમની અધ્યક્ષતા સંતરામપુર APMC ચેરમેન શાંતિલાલ એચ. પટેલ એ કરી. વિશિષ્ટ મહેમાનોમાં મોટી સરસણ ગામના સરપંચ સુખાભાઈ બામણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ મતી હીરાબેન પટેલ, તથા જિલ્લા નોડલ અધિકારી ધર્મેન્દ્રકુમાર ભમાત સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત તથા સ્વાગત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું. બાદમાં મહેમાનોનું સાલ-પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું. રાકેશભાઈ આર. પટેલ (શારદા વિદ્યાલય, કાળીબેલ) એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે નિરક્ષર નાગરિકોને…

રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.…

કચ્છ: રાપર આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં વ્યાપી ચિંતા

કચ્છ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં વરસાદની શરૂઆત થતા ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાપર શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, અને બપોર પછી અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોએ આ ઝાપટાંને “પ્રકૃતિનો તાજગીભર્યો આશીર્વાદ” ગણાવ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે શહેરના મુખ્ય બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો જોવા મળ્યા હતા. પાણીના પ્રવાહને કારણે વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મિશ્ર પ્રતિક્રિયા લાવનાર સાબિત થયો છે. જ્યાં એક તરફ તાપમાનમાં ઘટાડો થવાથી રાહત…

વડોદરા: પાર્કિંગ વિસ્તારમાં મગર દેખાતા ભારે ભયનો માહોલ, રેસ્ક્યૂ ટીમે પકડ્યો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાને કારણે, શહેરના કેટલાક વિસ્તારોમાં મગરોનો દેખાવ સામાન્ય બન્યો છે. ત્યારે તાજી ઘટના હરણી-સમા લિંક રોડ ખાતેની પંચામૃત રેસિડેન્સીમાં બની, જ્યાં પાર્કિંગ વિસ્તારમાં 4 ફૂટનો મગર દેખાયો. સ્થાનિક રહીશોએ અચાનક મગરને જોઈ ભારે ભય અનુભવ્યો. મગર પહેલા એક ટૂ-વ્હીલર અને ત્યારબાદ એક કાર નીચે છુપાવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાર્કિંગ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. લોકોનું એકઠું થવું અને મગરની અચાનક હરકતોએ હેરાનગીનો માહોલ સર્જ્યો. જાણ થતાં જ વડોદરા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. મગર કાર નીચે છુપાવવાના કારણે તેને બહાર કાઢવું મુશ્કેલ બન્યું. ટીમે મગરના ગળામાં ગાળિયો નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરની ઊછળકૂદને કારણે રેસ્ક્યૂ ઓપરેશન થોડીવાર માટે અટકી ગયું. બાદમાં, ભારે જહેમત અને…

જોધપુરમાં રોડ અકસ્માત: ટ્રક સાથે બસ અથડાતા 18 મોત, અનેક ઘાયલ

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસવે પર રવિવારે સાંજે એક ભયંકર માર્ગ અકસ્માત બન્યો. અકસ્માતમાં ટ્રક પર ઉભેલી બસ સાથે ટેમ્પો ટ્રાવેલર અથડાઈ જતાં 18 લોકોના મોત નિપજ્યા અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની વિગત પ્રારંભિક જાણકારી અનુસાર, ટેમ્પો ટ્રાવેલર બિકાનેરના કોલાયત મંદિરની યાત્રા કરી પાછા આવી રહી હતી. હનુમાન સાગર ચોકડી પાસે, ટ્રાવેલર ઝડપી ગતિએ આગળ વધતી વખતે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયંકર હતી કે ટેમ્પો ટ્રાવેલર સંપૂર્ણપણે તૂટી ગયું અને સીટ અને ધાતુમાં અનેક મૃતદેહો ફસાઇ ગયા હતા. ફલોદીના પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ જણાવ્યું કે, “આ અકસ્માતમાં 15 લોકોની ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઓસિયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…

સુરેન્દ્રનગરમાં ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ, જાણો વિગત

સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળા ગામ નજીકથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી જતા અને માળખું નબળું થવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલની દીવાલ તૂટી પડવાની ભીતિ ટોકરાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલનો એક ભાગ અત્યંત નબળો પડી ગયો છે. દીવાલમાં સ્પષ્ટ તિરાડો દેખાઈ રહી છે અને આખું માળખું જર્જરિત અવસ્થામાં છે. જો તાત્કાલિક સમારકામ નહીં થાય તો કેનાલની દીવાલ કોઈપણ સમયે તૂટી શકે છે. જો આવું બનશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફાટી નીકળશે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થશે અને ખેતરો બેટ (Flood Zone)માં ફેરવાઈ જશે. આ ઉપરાંત આસપાસની…

ગુજરાત : માવઠાથી થયેલા પાક નુકસાનનો અહેવાલ ત્રણ દિવસમાં સરકારને આપવા આદેશ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિદાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને ત્રણ દિવસની અંદર પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચના આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેદાની સ્તરે સર્વેની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, અને ખેતીવાડી અધિકારીઓને સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી શકે. ખેડા જિલ્લામાં થયેલા ભારે માવઠા અને પાક નુકસાન અંગે મંત્રી મહિડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ખેડૂતોની પરિસ્થિતિ સરકારને સમજાય છે. તેમની મુશ્કેલીઓને હળવી કરવા દરેક સ્તરે…