Restaurants : ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: 187 સ્થળોએ તપાસ સાથે 137 રેસ્ટોરન્ટ્સ તત્કાલ બંધ…

Gujaratમાં Restaurants સામે મોટી કાર્યવાહી: 187 સ્થળોએ તપાસ, 137 રેસ્ટોરન્ટ્સ બંધ, 6 સીલ

Gujaratમાં જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા Restaurants સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યભરમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઈવની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 187 Restaurantsમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંભીર પ્રકારની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળતાં તંત્રએ કડક પગલાં લીધા છે.
Restaurants

-> 137 Restaurantsમાં ગંભીર ગેરરીતિ : રાજ્યભરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 137 Restaurantsમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ તમામ Restaurantsને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 6 Restaurants ને સીલ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે Restaurants  રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદ જિલ્લામાં ત્રણ રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે.તંત્ર દ્વારા અન્ય 40 Restaurantsને ખામીઓ સુધારવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. જ્યારે નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા ચાર Restaurantsના લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરતમાં કુલ 209 હોટેલ-રેસ્ટોરન્ટ અને 34 ઢાબામાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રસોડાની સ્વચ્છતા, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ડેરી પ્રોડક્ટ્સ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 128 હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી અને રૂ. 4,43,800નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.સ્વચ્છતા અને અન્ય ગંભીર ખામીઓ મળી આવતા સુરતમાં 43 હોટેલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા છે.

-> વરાછા ફૂડ પોઈઝનિંગ બાદ સરકારનું કડક વલણ :  સુરતના વરાછા વિસ્તારમાં 18 ઓગસ્ટ, 2026ના રોજ બનેલી ગંભીર ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું દુઃખદ અવસાન થયું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોને સારવારની જરૂર પડી હતી.આ ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ Restaurantsમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઈજિન અંગે સઘન તપાસ કરવા માટે ખાસ ડ્રાઈવના આદેશ આપ્યા હતા.ફૂડ સેફ્ટી તપાસ દરમિયાન માત્ર ખોરાકની ગુણવત્તા જ નહીં પરંતુ રેસ્ટોરન્ટના રસોડાની સફાઈ, ખાદ્ય પદાર્થોના સંગ્રહની રીત, વાસી ખોરાકનો ઉપયોગ, કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને અન્ય આરોગ્યલક્ષી ધોરણોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.ખોરાકમાં ભેળસેળ, અખાદ્ય પદાર્થોનો ઉપયોગ અથવા આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિ ઊભી કરનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. ખાસ કરીને ભેળસેળયુક્ત ખોરાક, અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર રેસ્ટોરન્ટ્સ સામે તંત્ર વધુ કડક બની શકે છે.આ સ્પેશિયલ ડ્રાઈવથી રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે વધુ જવાબદારી આવે તેવી શક્યતા છે. Gujaratમાં ફૂડ સેફ્ટી અને જાહેર આરોગ્યને લઈને સરકારની કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે.

 

Related Posts

Gambhira Bridge: 22 લોકોના મોત અને 50 કિમીના ચક્કરમાંથી મુક્તિ! મહી નદી પર નવો ગંભીરા બ્રિજ તૈયાર…

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર-ગંભીરા નજીક મહી નદી પર આવેલા Gambhira Bridgeના એક સ્પાન ધરાશાઈ થવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હતા અને વડોદરા તથા આણંદ તરફ જતો મહત્વપૂર્ણ માર્ગ પ્રભાવિત થયો હતો. બ્રિજ બંધ થતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. હવે આ વિસ્તારમાં રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. જૂના બ્રિજની નજીક સમાંતર નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ માત્ર એક વર્ષના ગાળામાં આશરે 854 મીટર લાંબા નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ થવાની વિગતો સામે આવી છે. હાલ નવા બ્રિજ પર લોડ ટેસ્ટિંગ સહિતની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે અને ઓગસ્ટ 2026ના અંત સુધીમાં તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી…

Ahmedabadમાં પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026નો પ્રારંભ… Exciting

Ahmedabadમાં પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો પ્રારંભ, ફૂડ સેક્ટરને નવી તકો આપવાની સરકારની તૈયારી Ahmedabad : ગુજરાતમાં ફૂડ અને ફૂડ ડિલીવરી સેક્ટરને નવી દિશા આપવાના ઉદ્દેશ સાથે Ahmedabadમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો પ્રારંભ થયો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં દેશભરમાંથી રેસ્ટોરન્ટ, ફૂડ ડિલીવરી અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવા Ahmedabad શહેરમાં ફૂડ એન્ડ બેવરેજ તથા ડિલિવરી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026 (Food Delivery Summit 2026) નો ભવ્ય પ્રારંભ થયો છે. આ સમિટમાં ફૂડ ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, ક્લાઉડ કિચન અને ડિજિટલ ફૂડ એગ્રીગેટર્સ ક્ષેત્રના દિગ્ગજો એક મંચ પર એકત્રિત…