Surat વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષીય બાળકીનું મોત: આરોગ્ય મંત્રીની તાત્કાલિક કાર્યવાહી, શીતલ રેસ્ટોરન્ટ સીલ કરવાની સૂચના
Surat, 18 ઓગસ્ટ 2026:Suratના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડી હતી. આ ઘટનામાં 5 વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે. પરિવારના અન્ય ચાર સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક કાર્યવાહી માટે આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપી છે. આરોગ્ય મંત્રીએ સમગ્ર મામલાની વિગતો મેળવી અસરગ્રસ્ત પરિવારને જરૂરી તબીબી સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા જણાવ્યું છે.

શહેરના વરાછા વિસ્તારમાં ખાણીપીણીની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. વરાછામાં ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) ની ગંભીર ઘટનામાં ૫ વર્ષીય માસૂમ બાળકીનું અચાનક મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા સંબંધિત ‘શીતલ રેસ્ટોરન્ટ’ ને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.
પંજાબી શાક ખાધા બાદ પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડી
મળતી વિગતો અનુસાર વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારે રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક મંગાવ્યું હતું. શાકનું સેવન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. પરિવારના અન્ય ચાર સભ્યોની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે.
આરોગ્ય મંત્રીએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી
ઘટનાની જાણ થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર મામલે ગંભીરતા દાખવી હતી. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ અને Surat મહાનગરપાલિકાના અધિકારી ડો. ઉમરીગર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી.આરોગ્ય મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારના સભ્યોને શ્રેષ્ઠ અને યોગ્ય તબીબી સારવાર મળી રહે તે માટે સતત મોનિટરિંગ કરવા જણાવ્યું છે. હોસ્પિટલના તબીબો પાસેથી પણ પરિવારના ચાર સભ્યોની હાલની તબિયત અંગે માહિતી મેળવી સારવારમાં કોઈ કચાશ ન રહે તેની સૂચના આપવામાં આવી છે.
Surat મૃતક બાળકીના પરિવાર સાથે ફોન પર વાત કરી
આ દુઃખદ ઘટનાને પગલે આરોગ્ય મંત્રીએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં પરિવારને હિંમત મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.માસૂમ બાળકીના અવસાન અંગે મંત્રીએ દુઃખ વ્યક્ત કરી ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી.આરોગ્ય મંત્રીએ Surat જિલ્લા આરોગ્ય અધિકારી અને SMCના અધિકારીઓને ઘટનાની તપાસ ઝડપી બનાવવા સૂચના આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા તેમજ જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ શું હતું, ખોરાકમાં કોઈ ભેળસેળ અથવા દૂષિતતા હતી કે નહીં અને રેસ્ટોરન્ટની સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર દ્વારા બહાર ખાધા બાદ બાળકીની તબિયત અચાનક લથડી હતી. ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી ચકાસવા આદેશ
વરાછાની ઘટનાને પગલે આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઈજિન અને ફૂડ સેફ્ટી અંગે વધુ તકેદારી રાખવા સ્પષ્ટ સૂચના આપી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને ખોરાક તૈયાર કરવાની પ્રક્રિયામાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તંત્રને જણાવ્યું છે.
આ ઘટનાએ બહારનું ખાવાનું ખાતા લોકોમાં પણ ચિંતા ઊભી કરી છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ચલાવતા સંચાલકો માટે ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની જાય છે.આરોગ્ય મંત્રીએ માત્ર રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ રાજ્યની તમામ હોસ્પિટલોમાં પણ સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તેવી સ્પષ્ટ સૂચના આપી છે.આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે પોસ્ટમોર્ટમ અને તપાસના અહેવાલ બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં જવાબદારી કોની છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






