રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે કે પાકની રક્ષા માટે યોગ્ય પગલાં લે અને ખુલ્લા ખેતરોમાં તૈયાર પાકને ઢાંકી દે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડો વધારે રહેવાની શક્યતા વ્યક્ત થઈ છે.

હવામાન નિષ્ણાતો અનુસાર, હાલ અરબ સાગર નજીક દબાણ જેવી પરિસ્થિતિ અને પશ્ચિમી પવનના પ્રવાહને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: “શરતો સ્વીકારો નહીં તો બોમ્બિંગ થશે”

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનને લઈને કડક અને ચેતવણીસભર નિવેદન આપ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને ઈરાનને નક્કી કરેલી શરતો સ્વીકારવા કહ્યું છે,…

કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય: ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત જેટલો દરજ્જો, અપમાન કરનારને કાયદેસર સજા

પશ્ચિમ બંગાળમાં મહત્ત્વપૂર્ણ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રની પ્રથમ કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’…