મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,…

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલે મેળવી અનોખી સિદ્ધિ, એક માસમાં 400થી વધુ સફળ ડિલિવરી

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્યસેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વસુરક્ષા અને માનવતા માટેનું પ્રતિક બની ચૂકી છે. જેમાં રાજસ્થાનના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ તથા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ ગઢવીના દૃઢ નેતૃત્વ હેઠળ અહીં સતત ઉચ્ચ ગુણવત્તાની સેવા આપવામાં આવી રહી છે. તેમની ટીમની નિષ્ઠા, સેવા અને કાર્યદક્ષતાના કારણે ન માત્ર ખેડબ્રહ્મા તાલુકાના પરંતુ પાડોશી રાજસ્થાન રાજ્યના અનેક મહિલા દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. ડૉ. અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,“અહીં દર મહિને સરેરાશ ૩૫૦ જેટલી ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ આ મહિનામાં 400થી વધુ ડિલિવરી કરીને અમારી ટીમે નવી સિદ્ધિ હાંસલ કરી…

પરિમલ નથવાણીએ તેમની ગીર સિંહ સફારીની મુલાકાતના વિવાદ પર તોડ્યું મૌન, જાણો શું કહ્યું

રાજ્યસભાના સાંસદ અને ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના ગણાતા પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદને લઈને પોતાનું મૌન તોડ્યું છે. નથવાણીએ જણાવ્યું હતું કે તેમણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સાસન ગીર સિંહ સફારીની મુલાકાત માટે તમામ જરૂરી પરવાનગીઓ મેળવી લીધી હતી. આ નિવેદન એક વીડિયો વાયરલ થયા બાદ આવ્યું છે જેમાં તેઓ સિંહો વચ્ચે સિંહોનું ફિલ્માંકન કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કરીને ટિપ્પણી કરી હતી કે કદાચ હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ માટે કાયદા અને નિયમો અલગ હોય છે. પ્રભાવશાળી વ્યક્તિ પરિમલ નથવાણીએ પોતાની ખાનગી કારમાં સાસન ગીરની યાત્રા કરી હતી. સોશિયલ મીડિયાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું નથવાણીએ વન વિભાગ અને ગુજરાત સરકાર પાસેથી પરવાનગી લીધી હતી. નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને…

PM મોદી આજે ગુજરાતના પ્રવાશે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ખાસ મહત્વની છે, કારણ કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન હાજર રહેશે. 30 ઓક્ટોબરનો કાર્યક્રમ 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન પર તેમનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવાના છે. જો હવામાન ખરાબ રહેશે તો માર્ગ દ્વારા કેવડિયા જવાની વ્યવસ્થા રહેશે. 31 ઓક્ટોબરનો કાર્યક્રમ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. આ અવસર પર એકતાનગર-કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન આ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશે. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ…

ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…

મહેસૂલ વિભાગમાં બદલીઓ, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તાજા આદેશ જાહેર કરતાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ આદેશ અંતર્ગત કુલ 15 ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી અને તાપી જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ તથા ચૂંટણી વિભાગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આર.બી. ગઢવી અને એચ.જે. સોલંકીને બઢતી આ આદેશ અંતર્ગત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં…

વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ

ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…

મહીસાગરમાં ભયાનક હિટ એન્ડ રન, બાઇક ચાલકને કાર 5 કિલોમીટર સુધી ઘસડતી લઈને ગઈ

મહીસાગર જિલ્લાની મોડાસા-લુણાવાડા રોડ પર ભયાનક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ પાંચ કિલોમીટર સુધી ઘસડતો લઈ ગયો. સ્થાનિક લોકોએ ઘટનાને “કાળજુ કંપાવનારી” ગણાવી છે. ઘટના સમયે કારનું ગતિશીલ ચલાવવું અને બાઈક ચાલકને અટવાયેલ હાલતમાં આગળ ખેંચવું સર્જનહાર માટે ગંભીર ગુનાની ઘટનાઓમાં આવે છે. આ અકસ્માતના કારણે બાઈક ચાલક ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયો હતો. એક પર્સનલ વાહનચાલકે ઘટનાને જોયા બાદ તરત વીડિયો રેકોર્ડ કર્યો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું. આ વીડિયોને જોઈ બાકોર પોલીસને ઘટના વિશે જાણ કરી, અને પોલીસ તરત સ્થળે પહોંચી. સ્થાનિક લોકોએ અને પસાર થતા વાહન ચાલકોે કારને રોકવાની કોશિશ કરી અને આખરે આરોપી કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો. પકડાયા આરોપી…

રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…

સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત આ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ દરમિયાન કેટલાક લોકોએ કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ, થાન વિસ્તારમાં આ ત્રીજી ફાયરિંગની ઘટના છે જે થોડા જ દિવસોમાં બની છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કર્યા છે. નગણ્ય…