રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ, BBPS દ્વારા ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ
રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2023થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફત ભરી શકતા હતા. હવે આ સુવિધામાં…
ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ…
ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના 4 લોકોનું ઈરાનમાં અપહરણ, 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી વિદેશ જવાના સપના સાથે નીકળેલા ચાર ગુજરાતીઓ ઈરાનમાં અપહરણનો ભોગ બન્યા છે. અપહરણકર્તાઓએ પરિવારજનોને વીડિયો કોલ કરીને રૂ. 2 કરોડની ખંડણી માંગ કરી છે. માહિતી મુજબ, માણસાના બાપુપુરા અને બદપુરા ગામના અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી 19 ઓક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમિરેટ્સ એરલાઈન દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન પહોંચાડવામાં આવ્યા. તહેરાન પહોંચ્યા બાદ ચારેય લોકોને અજાણ્યા લોકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે. અપહરણકર્તા, જે પોતાને “બાબા” તરીકે ઓળખાવે છે, તેણે પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી છે. પરિવારજનોને મોકલેલા વીડિયોમાં ચારેય જણને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, હાથ પાછળ બાંધેલા છે અને…
સંતરામપુરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો, 70 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા સન્માનિત
સલમાન મોરાવાલા, સંતરામપુર/ ગઇકાલે તારીખ 26 ઓક્ટોબર, 2025ના લાભ પંચમના પવિત્ર દિવસે સંતરામપુર ખાતે સંતરામપુર-કડાણા વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમંત્રિત મુખ્ય અતિથિ આઇપીએસ સફીન હસન વ્યક્તિગત કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી તથા ઉપસ્થિત માનનીય મહેમાનો દ્વારા સંતરામપુર અને કડાણા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના ઉત્તમ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાંના પ્રદાનને માન આપી તેમને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે 70 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સમગ્ર વાતાવરણમાં આનંદ, ગૌરવ અને પ્રેરણાની લાગણી છવાઈ…
બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું | GUJARATI NEWS BULLETIN
બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું ડિજિટલ દુનિયામાં ખોવાતા વડીલોના સ્વાસ્થ્યને અસર સોશિયલ મીડિયા અને ગેમિંગમાંવડીલોની વધતી રૂચી વડીલોમાં ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિ ઘટી વડીલોની ઓનલાઇન પ્રવૃત્તિ પર જણાઈ દેખરેખની જરૂર છેલ્લા દાયકામાં વડીલોમાં ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ 60% સુધી વધ્યો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.” દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને…
દ્વારકાધીશના ધામમાં ભક્તિનો મહાસમુદ્ર, દિવાળીના 6 દિવસમાં 4.65 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન
દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો. માત્ર 6 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પર્વને પાવન બનાવ્યો. ભક્તોમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં દિવાળીની રોશની સાથે ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. તંત્ર અને પોલીસની ઉમદા વ્યવસ્થા ભીડની તીવ્રતા છતાં દ્વારકા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી હતી. સંયુક્ત પ્રયાસો દ્વારા દર્શન વ્યવસ્થા સંપૂર્ણપણે સુચારુ રહી. – વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ – દર્શન લાઇનમાં અલગ પ્રવેશ અને આરામ ક્ષેત્ર – યાત્રિકો માટે પૂરતું પાણી, આરોગ્ય અને આરામ વિસ્તાર – ટ્રાફિક કંટ્રોલ રૂમ…
Ahmedabad : શિલજના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી ઝડપાઈ, 20 વિદેશી નબીરાઓ સહિત 6 મહિલાની અટકાયત
અમદાવાદના પોશ વિસ્તાર શિલજમાં દારૂ પાર્ટીની મોજમસ્તી વચ્ચે પોલીસે દરોડા પાડી 20 વિદેશી નાગરિકો અને 2 ભારતીયોને ઝડપ્યા છે. આ પાર્ટી દરમિયાન દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ રેવ પાર્ટી ઝેફાયર ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી, જ્યાંથી પોલીસે 6 મહિલાઓ સહિત કુલ 15થી વધુ લોકોની અટકાયત કરી છે. ઝેફાયર ફાર્મ હાઉસ પર બોપલ પોલીસે પાડ્યો દરોડો મોડી રાત્રે મળેલી બાતમીના આધારે બોપલ પોલીસે શિલજના ઝેફાયર ફાર્મ પર દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્યાંથી અનેક દારૂની બોટલો, બીયરના ટીન અને હુક્કા સેટ્સ કબ્જે કર્યા છે. આ પાર્ટીમાં હાજર વિદેશી વિદ્યાર્થીઓમાં કેન્યા અને મોંગોલિયાના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. ‘આફ્રો ડાન્સ નાઈટ’ રેવ પાર્ટી ઝડપાયેલા વિદ્યાર્થીઓએ ‘આફ્રો ડાન્સ…
















