મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પાસે માંગ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે