લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વાન ચોટીલાથી મુસાફરો લઈ ગોધરા તરફ જઈ રહી હતી. અકસ્માતના તુરંત પછી, 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ કેટલીક ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહી છે. ટ્રાફિક અને મુસાફરોની સલામતી માટે અત્યારે માર્ગ પર સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.  …

થાનગઢમાં ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ, પોલીસ કાર્યવાહી ચાલુ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ધોળેશ્વર ફાટક પાસે એક ટ્રક એન્ગલમાં ફસાઈ જતા તેમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર પડી ગઈ. આ ઘટનાનો લાભ લઈને આસપાસના લોકોએ નીચે પડી ગયેલી બોરીઓ ઉઠાવી લીધી. ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ, આશરે 50 થી વધુ બોરીઓ લૂંટાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ થાનગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બાકી રહેલી બોરીઓ ટ્રકમાં ફરીથી ભરવાની કામગીરી શરૂ કરી. આ ઘટનામાં લોકોએ ભેદભાવ વિના ભારી માત્રા માં માલ લઈ લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસ હવે વધુ તપાસમાં લાગી છે અને જવાબદારોને પકડવા પ્રયાસો કરી રહી છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે. Follow us On…

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે. અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી: શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ: રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. વિકાસ સહાયે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારે મજબૂત કરવામાં આવશે. રાજ્યના મહાનગરો, તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…

ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી

ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે, જ્યારે નવેમ્બર અંત અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ: – 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. – ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં વરસાદ વધશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. – ઉત્તર ગુજરાતમાં તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે. – નવેમ્બર ત્રીજા સપ્તાહથી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. – ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં શું બદલાશે? હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, હવે રાજ્યમાં ધૂંધળું વાતાવરણ,…

દિલ્હી MCD પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ યાદી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની આગામી પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ કુલ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે ઉમેદવારોની પસંદગી યોગ્યતા અને જીતવાની ક્ષમતાના આધારે કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર, રાજ્ય અને એમસીડીમાં ભાજપે કરેલા વિકાસના કામના આધારે પાર્ટી આ ચૂંટણીમાં જંગી વિજય મેળવશે. – અનિતા જૈન શાલીમાર બાગ-બીથી ઉમેદવાર શાલીમાર બાગ-બી વોર્ડ પરથી અનિતા જૈનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બેઠક અગાઉ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે હતી. ગુપ્તાએ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. હવે ભાજપ આ બેઠક પર ફરી જીત મેળવવા આતુર છે. – ભાજપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી ક્રમાંક વોર્ડ…

માહિતી વિભાગની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ડિસેમ્બરમાં

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે વર્ષ 2025ની જાહેરાતો બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન માહિતી વિભાગમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રથમ આરંભિક આયોજન અનુસાર પરીક્ષા 25 નવેમ્બર 2025ના રોજ લેવાની હતી. પરંતુ ઉમેદવારો અને અન્ય સંસ્થાઓ દ્વારા આ મુદ્દે વિવાદ ઉઠ્યો હતો, કારણ કે પરીક્ષા માટેની વિગતવાર અભ્યાસક્રમ જાહેરાતમાં સમાવિષ્ટ નહોતી. આ અભાવને લીધે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં મૂંઝવણમાં મુકાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી મુજબ, વિગતવાર અભ્યાસક્રમ મળતા જ અને વહીવટી કારણોસર પ્રાથમિક પરીક્ષા 15 ડિસેમ્બર 2025 (સોમવાર)એ લેવામાં આવશે. આ નવી તારીખ પર તમામ સંબંધિત ઉમેદવારોને…