હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે ખેડૂત આવતીકાલથી કરી શકશે અરજી, જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ઇતિહાસ રચ્યો છે. પાક નુકસાની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ₹10,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે. અરજી ક્યારે અને ક્યાંથી કરવી? આ સહાય માટેનું ઓનલાઇન પોર્ટલ આવતીકાલે, 14 નવેમ્બર (શુક્રવાર) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, અને 15 દિવસ સુધી ખુલ્લું રહેશે. ખેડૂતો https://krp.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. અરજીમાં ગ્રામ પંચાયતના VCE અથવા VLE મદદરૂપ થશે. ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું ફી ચૂકવવાની નથી. સહાય પેકેજની મુખ્ય વિગતો મુદ્દો વિગત સહાય રકમ પ્રતિ હેક્ટર ₹22,000 મર્યાદા મહત્તમ 2 હેક્ટર સુધી લાભાર્થીઓની સંખ્યા આશરે 16,500 ગામોના ખેડૂતો કુલ પેકેજ રકમ ₹10,000 કરોડથી વધુ ચુકવણી પદ્ધતિ PFMS/RTGS મારફતે DBT દ્વારા સીધા…
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત
ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…
જામનગરમાં પણ અમદાવાદ જેવો ખ્યાતિ ખાંડ ? આ હોસ્પિટલ પર સરકારે કરી કાર્યવાહી
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા…
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા — જે નાણાં સામાન્ય ઉપયોગ માટે નહીં, પરંતુ ઝેર (Ricin) બનાવવા માટેના કેમિકલ્સ ખરીદવા માટે વપરાયા હતા. ATSએ હૈદરાબાદમાં અહેમદ સૈયદના ઘરમાંથી 6 લીટરથી વધુ ઝેરી કેમિકલ જપ્ત કર્યું છે. આ રાઈઝિન પદાર્થ દુનિયાના સૌથી ઘાતક ઝેરોમાંથી એક ગણાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ઘરમાં જ લેબોરેટરી સેટઅપ બનાવીને ઝેરની પ્રક્રિયા શરૂ કરી હતી. ATS અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્ક કોઈ મોટી આતંકી ઘટનાઓની તૈયારીમાં હતું. કેમિકલના નમૂનાઓને FSL લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે, જેથી તેની જાત અને અસર અંગે વધુ માહિતી મળી…
હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત
આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો…
ખેડૂતો મામલે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠક લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. 947 કરોડ અને તાજેતરમાં રૂ. 10,000 કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી એ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. 190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. 1137 કરોડ થઈ છે. આમ,…
સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં એક ધાર્મિક દબાણ (દરગાહ), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.આ…
ગુજરાતમાં ફરી વળશે શીત લહેર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જ્યોતિષીય અનુમાન મુજબ 23 થી 27 નવેમ્બર અને 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શીત લહેરના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનની અસર જોવા મળશે. અહેવાલો મુજબ અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સમયગાળા દરમ્યાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. જાન્યુઆરી 2026માં ઠંડીનો તાપમાનના સ્તર સુધી ઉતરવાનો અંદાજ છે, જેનાથી રાજ્યમાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતા છે. જ્યોતિષશાસ્ત્રીઓના અનુમાન મુજબ ફેબ્રુઆરીમાં માવઠું અને માર્ચમાં વંટોળ અને પવન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે શિયાળું પાક પણ અસરગ્રસ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમ્યાન પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી…
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં ફરિયાદી દ્વારા દાખલ અરજીના આધારે આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે દેવાયત ખવડને જામીન મંજૂર કર્યો હતો, પરંતુ ફરિયાદી પક્ષ દ્વારા તેના રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન રદ કરવા પાછળનો કારણ ફરિયાદીની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેમને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો છે. હવે લોકસાહિત્યકાર માટે કાયદાકીય માર્ગો મર્યાદિત થઈ ગયા છે. કોર્ટનો આદેશ દેવાયત ખવડ ફરજિયાતપણે એક મહિનાની સમયમર્યાદામાં ચાંગોદર પોલીસ મથક…
લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વાન ચોટીલાથી મુસાફરો લઈ ગોધરા તરફ જઈ રહી હતી. અકસ્માતના તુરંત પછી, 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ કેટલીક ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહી છે. ટ્રાફિક અને મુસાફરોની સલામતી માટે અત્યારે માર્ગ પર સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે. …
















