કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન તેમણે માંડ્યા જિલ્લામાં આવેલ પવિત્ર ધાર્મિક સ્થળ ક્ષેત્ર અદિચુંચનગિરી ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર અદિચુંચનગિરી મઠ સાથે જોડાયેલું એક પવિત્ર સ્થાન છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ અવસરે ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ દેશના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારતની આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાની મહત્ત્વતા પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે આવા ધાર્મિક સ્થળો માત્ર આસ્થાના કેન્દ્રો જ નહીં પરંતુ સમાજમાં એકતા અને સેવા ભાવનાને પણ પ્રોત્સાહિત કરે છે. આ સાથે તેમણે કર્ણાટકના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક દિવસીય મુલાકાત ધાર્મિક, સાંસ્કૃતિક અને વિકાસલક્ષી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જે કર્ણાટક રાજ્ય માટે ગૌરવની બાબત બની છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






