Gandhinagar : ઉવારસદ ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી, ગ્રાહકો આપવામાં આવી આ માહિતી
24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉપલક્ષી આજે ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક કાંતિ ફાઉન્ડેશન અને સરપંચ શ્રી ઉવારસદ ગ્રામ પંચાયત તથા તમામ સભ્યશ્રીઓ તલાટી શ્રી અને ગ્રામજનો મળી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવેલ છે પ્રોગ્રામમાં સંસ્થાના બેનર પ્લે કાર્ડ સાથે તથા પત્રિકા વિતરણ કરી ગ્રામજનોને ગ્રાહકના અધિકારો બાબતે વિવિધ જાણકારી ફરિયાદના નિરાકરણ માટે કયા સંપર્ક કરવાનું રહે છે તે બાબતે વિગતવાર જાણકારી, જરૂરી હેલ્પલાઇન નંબર ,કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર બાબતે જાણકારી આપવામાં આવેલ છે. જિલ્લા મિશન રાજ્ય કમિશન તથા નેશનલ કમિશનના ગ્રાહકોને સ્પર્શતા વિવિધ ચુકાદાઓની ગ્રાહકો સમજી શકે તેવી ભાષામાં સમજણ પૂરી પાડી ગ્રાહકોને જરૂરી પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે અને તે પોતે જાગૃત થઈ છેતરતા બચે…
રાજ્યના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ મામલે વન મંત્રી મોઢવાડિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે.…
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી એ ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી. રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી…
કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાહેરનામું પ્રસિદ્ધ
અમદાવાદ શહેરમાં આયોજિત થનારા કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન નાગરિકોની સલામતી અને સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાર્નિવલના દિવસો દરમિયાન કાંકરીયા તળાવ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અસ્તવ્યસ્તતા ન સર્જાય તે માટે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ, ડાયવર્ઝન તથા પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કાર્નિવલ દરમિયાન કાંકરીયા તળાવ તરફ જતા મુખ્ય માર્ગો પર ચોક્કસ સમયગાળા માટે વાહન પ્રવેશ પર નિયંત્રણ રહેશે. જાહેર વાહનો, ઇમરજન્સી સેવાઓ અને પાસ ધરાવતા વાહનોને જરૂરિયાત મુજબ છૂટ આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ટ્રાફિક…
મેટ્રોસિટી અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈ સૌથી મોટો નિર્ણય શક્ય, તોડવાની ભલામણ
મેટ્રોસિટી અમદાવાદમાં શહેરના સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત બ્રિજોમાં ગણાતા સુભાષ બ્રિજને લઈને મોટી અપડેટ સામે આવી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં તૈયાર થયેલા ટેક્નિકલ રિપોર્ટમાં સુભાષ બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે બ્રિજની વધતી ઉંમર, જૂની ટેક્નોલોજી અને વર્ષોથી સતત વધતું ટ્રાફિક ભારણ દર્શાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગત 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાની અને ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ તંત્રએ તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરી દેતા શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર વ્યાપક અસર પડી હતી. આ…
કચ્છમાં સગીર કિશોરી સાથે ગંભીર ગુનો: પાંચ યુવકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી
કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષની સગીર કિશોરી સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ભુજ પોલીસ બી ડિવિઝન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, કિશોરીને ધાક-ધમકી આપી અલગ-अलग સ્થળોએ લઈ જઈ તેની સાથે અપરાધિક વર્તન કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં કુલ પાંચ યુવકો સંડોવાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતત માનસિક દબાણ અને ભયના કારણે કિશોરી લાંબા સમય સુધી આ બાબત અંગે મૌન રહી હતી. હોસ્ટેલમાં કિશોરીની સ્થિતિ શંકાસ્પદ લાગતાં તેના પરિવારજનો અને શિક્ષિકાએ પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા…
રાજ્યમાં 26 સિનિયર IAS અધિકારીઓની બદલી: મુખ્યમંત્રી કાર્યાલય અને મહત્વના વિભાગોમાં ફેરફાર
રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ક્રમાંક અધિકારીનું નામ નવી નિમણૂક / બદલી 1 સંજીવ કુમાર અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક 2 ડો. વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય 3 ડો. વિક્રાંત પાંડે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી 4 અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ 5 આર.સી. મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી 6 અરુણ કુમાર સોલંકી અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ 7 અરુણ કુમાર સોલંકી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો…
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા
ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂ પીવા માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમોની મુખ્ય બાબતો સરકારના જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં ‘વાઇન એન્ડ ડાઈન’ સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ સેવન માટે અલગ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ અથવા ક્લબમાં દારૂ…
















