વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે, જ્યારે બચાવ દળો દ્વારા હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને સમાજસેવી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં સહકાર આપી રહી છે.

પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આ ઘટના બાદ રહીશો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

તપાસ ચાલુ છે, વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Related Posts

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ બાદ લીઝ કરાર રદ, જાણો શું છે સરકારનો નિર્ણય.

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ પછી લીઝ રિન્યુ નહીં કરવાનો સરકારનો માસ્ટરપ્લાન – આઈટી હબના ભવિષ્ય પર પ્રશ્નાર્થ? ગાંધીનગર: રાજ્યના આઈટી અને કોર્પોરેટ જગતનું કેન્દ્ર ગણાતી ગાંધીનગરની ઈન્ફોસિટી અંગે ગુજરાત સરકારે અત્યાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *