સુર સામ્રાજ્ઞા આશા ભોંસલેને દેશે આપી ભાવભીની વિદાય : પુત્રએ આપ્યો મુખાગ્નિ

ભારતીય સંગીત જગત માટે આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરીલા અવાજની માલિક અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અંતિમ વિદાય દરમિયાન તેમના પુત્ર આનંદ ભોંસલેએ માતાના અંતિમ સંસ્કાર કર્યા અને ચિતાને અગ્નિદાહ આપ્યો. પરિવારજનો અને નજીકના લોકો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહી. તેમની પૌત્રી જેનાઈ દાદીને અંતિમવાર જોઈને દુઃખમાં તૂટી પડી હતી.