સાવધાન! અમદાવાદમાં નકલી પનીર કૌભાંડ:ગોતા અને નરોડામાં ભાંડાફોડ, ખાદ્ય સુરક્ષા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોતા અને નરોડા વિસ્તારોમાં નકલી પનીરનું ધડાધડ વેચાણ થતું હોવાનો ભાંડાફોડ થયો છે. હેલ્થ વિભાગે મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેને સીલ કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તેમાં ગુણવત્તા ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક વેપારીઓ દ્વારા સસ્તા અને નકલી પનીર બનાવીને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું, જે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

આ ઘટનાને પગલે તંત્ર વધુ સતર્ક બન્યું છે અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને પનીર ખરીદતી વખતે સાવચેત રહેવા, વિશ્વસનીય દુકાનોમાંથી જ ખાદ્ય વસ્તુઓ લેવાની અને શંકાસ્પદ વસ્તુઓ અંગે તંત્રને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. આ બનાવે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

  • Related Posts

    NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

    આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

    મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

    દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…